બિહારમાંથી અવારનવાર પુલ ધરાશાયી થવાના, બ્રિજમાં તિરાડો પડવાના કે રોડ પર ગાબડા પડવાના સમચાાર આવતા હોય છે. હાલમાં જ બિહારના અરરિયા જિલ્લામાં એક નવા બનેલા પુલમાં તિરાડો પડી હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. બિહારની રાજધાની પટનામાંથી આવો જ એક અન્ય કિસ્સો સામે આવ્યો છે. જ્યાં જેપી સેતુ ગંગા પથની બંને લેનમાં તિરાડો પડી ગઈ. આપને જણાવી દઈએ કે 3831 કરોડના ખર્ચે બનેલ જેપી સેતુમાં દિદારગંજ પાસે થાંભલા નંબર A-3માં તિરાડ પડી ગઈ છે.
2 દિવસ પહેલા મુખ્યમંત્રીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું
બે દિવસ પહેલા જ મુખ્યમંત્રી નીતિશ કુમારે જેપી સેતુના કંગન ઘાટથી દિદારગંજ સુધીના સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. ખૂબ જ ધામધૂમથી એક મોટું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં બંને નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી, વિજય સિંહા, માર્ગ નિર્માણ મંત્રી નીતિન નવીન, વિધાનસભા અધ્યક્ષ નંદકિશોર યાદવ, દિઘાના ધારાસભ્ય સંજીવ ચૌરસિયા સહિત વિભાગીય અધિકારીઓ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી રિમોટ બટન દબાવીને આ જેપી સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું.
તોફાન અને વરસાદ વચ્ચે મુખ્યમંત્રીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું
ઉદ્ઘાટન બાદ જ્યારે વાહનોની અવરજવર શરૂ થઈ અને આ માર્ગ પર વાહનોનું દબાણ વધવા લાગ્યું ત્યારે બ્રિજ પર બનેલા રોડ પર તિરાડો જોવા મળી હતી. આ તિરાડ થોડા અંતર સુધી મર્યાદિત નથી પરંતુ જેપી સેતુ ગંગા પથની બંને લેન પર દેખાય છે. સવાલ એ ઊભો થાય છે કે શું બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે કોઈ તપાસ કર્યા વિના જ ઉતાવળમાં તેનું ઉદ્ઘાટન કર્યું. બિહારના લોકોને ચૂંટણીની ભેટ આપવાની ઉતાવળમાં શું તે જીવ સાથે રમત નથી કરી રહી?





