Rohit Sharma: રોહિત શર્મા હાલ આઈપીએલમાં ભાગ લઈ રહ્યો છે. જોકે, તે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં રોહિતનું બેટ ફોર્મમાં નથી. જો કે, રોહિત શર્મા ખરાબ ફોર્મ હોવા છતાં તેને વિશેષ સન્માન મળવા જઈ રહ્યો છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન રોહિતને ભેટ આપવા જઈ રહ્યું છે.
રોહિત શર્માને મળશે વિશેષ સન્માન
અહેવાલ મુજબ મુંબઈ ક્રિકેટ એસોસિએશન કાઉન્સિલની બેઠકમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં આપણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામ પર એક સ્ટેન્ડ જોવા મળી શકે છે.
રોહિત હાલમાં IPLમાં ભાગ લઈ રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.તેણે CSK સામે 0 રન બનાવ્યા હતા. આ પછી GT વિરુદ્ધ રમાયેલી બીજી મેચમાં રોહિતે 8 રન બનાવ્યા અને કેકેઆર વિરુદ્ધ હિટમેનના બેટમાંથી 13 રન આવ્યા. RCB સામે રમાયેલી છેલ્લી મેચમાં રોહિતે માત્ર 17 રન બનાવ્યા હતા. જોકે, હવે રોહિતને તેના ખરાબ ફોર્મ વચ્ચે વિશેષ સન્માન મળવાની અપેક્ષા છે.
🚨 ROHIT SHARMA'S STAND AT WANKHEDE 🚨
— Tanuj (@ImTanujSingh) April 8, 2025
- At the MCA Council meeting, the association discussed naming one stand on Indian Captain Rohit Sharma at Wankhede stadium. (The Indian Express). pic.twitter.com/YKmJYELu0q
ભારતનો બીજો સફળ કેપ્ટન
રોહિત શર્મા ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. રોહિત શર્મા એમએસ ધોની પછી ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. રોહિતે ભારત માટે T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. આ પછી, તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ટ્રોફી જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. જ્યારે એમએસ ધોનીએ ભારત માટે 3 ICC ટ્રોફી જીતી છે. તેઓએ T20 વર્લ્ડ કપ 2007, ODI વર્લ્ડ કપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી હતી. આવી સ્થિતિમાં હિટમેન હાલમાં ભારતના બીજા સૌથી સફળ કેપ્ટન છે.





















