Ravindra Jadeja: ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં શરમજનક હાર બાદ ટેસ્ટ ટીમમાં ઘણા સિનિયર ભારતીય ખેલાડીઓનું સ્થાન અનિશ્ચિત લાગે છે. આમાં વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધીના નામ શામેલ છે. પરંતુ હવે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે. જાડેજાએ સોશિયલ મીડિયા પર જે પોસ્ટ શેર કરી છે તેમાં તેમણે ટેસ્ટ જર્સીના પાછળના ભાગનો ફોટો પોસ્ટ કર્યો છે. તેના શર્ટ નંબર '8' પર લખેલું છે.
તેમની પોસ્ટ જોઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની યોજના બનાવી છે. જો આવું થાય તો કાંગારૂ ટીમ સામે રમાયેલ સિડની ટેસ્ટ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ સાબિત થશે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ જાડેજાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
જાડેજાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ત્રણ મેચ રમી હતી
નોંધનીય છે કે, 36 વર્ષીય જાડેજાના પ્રદર્શન પર છેલ્લા કેટલાક સમયથી સવાલો ઉઠી રહ્યા છે. અહેવાલો અનુસાર BCCI સિલેક્શન કમિટી તેમના સ્થાને કોઈ વિકલ્પ શોધી રહી છે. તાજેતરમાં પૂરી થયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બોલર તરીકે જાડેજાની અવગણના કરવામાં આવી હતી, જ્યાં તેને પાંચમાંથી ફક્ત ત્રણ મેચ રમવાની તક મળી હતી.
Ravindra Jadeja's Instagram story. 🌟🇮🇳 pic.twitter.com/vacB7do0HB
— Tanuj Singh (@ImTanujSingh) January 10, 2025
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને એક સૂત્રએ જણાવ્યું કે, "આ બધું તેના પર નિર્ભર કરે છે કે, સિલેક્ટર્સ ક્યારે આ નિર્ણય કરે છે કે ફેરફારની જરૂર છે. તેઓ આ વાત પર ચર્ચા કરશે કે શું તેઓ જાડેજાના રૂપમાં સલામત વિકલ્પ સાથે જવા માંગે છે કે હવે આગળ વધવા માંગે છે. તેમને ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જો કે, તેની બોલિંગ સ્થિર રહી છે.
છેલ્લી વખત ફાઇનલમાં હાર્યુ હતું ભારત
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત થોડા સમય માટે વિલંબિત થઈ શકે છે, તેથી બીસીસીઆઈ થિંક ટેન્ક તેમના અંગે શું નિર્ણય લે છે તે જોવાનું બાકી છે. ભારતે છેલ્લે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જ્યારે 2017માં ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું.





















