બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ આ દિવસોમાં પોતાની ફિલ્મ 'રેડ 2'ને લઈને ચર્ચામાં છે. જેમાં તે અજય દેવગણ અને વાણી કપૂર સાથે જોવા મળશે. અભિનેતા ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. દરમિયાન, તાજેતરમાં તેમણે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.
રિતેશે પહેલગામ હુમલા પર ગુસ્સો વ્યક્ત કર્યો
મીડિયા સાથે વાત કરતાં રિતેશ દેશમુખે પહેલગામમાં થયેલા આતંકી હુમલા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. અભિનેતાએ કહ્યું, "આ ખૂબ જ દુઃખદ છે. લોકો ત્યાં રજાઓ મનાવવા જાય છે. અચાનક આતંકવાદીઓ આવે છે અને ગોળીબાર શરૂ કરે છે. આ માત્ર તે પરિવારો માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે મોટો આઘાત છે."
'કાશ્મીર માત્ર ભારતનો ભાગ છે'
રિતેશે વધુમાં કહ્યું કે, "મને પૂરો વિશ્વાસ છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આ મામલે કડક કાર્યવાહી કરશે. કોઈ પાડોશી દેશ આપણને આદેશ આપી શકે નહીં. હવે આપણે એક થઈને કહેવું પડશે કે કાશ્મીર ભારતનો ભાગ છે.."



















