Palash Muchhal Visit To Premanand Maharaj: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના અને સંગીતકાર-નિર્માતા પલાશ મુછલના લગ્ન 23 નવેમ્બર 2025ના રોજ ભવ્ય રીતે યોજાવાના હતા. મહેંદી, હળદર સહિતની રસમો પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ લગ્નના માત્ર કેટલાક કલાકો પહેલાં સ્મૃતિના પિતાની તબિયત અચાનક લથડી પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને લગ્ન અનિશ્ચિત કાળ માટે મુલતવી રાખવા પડ્યા.
કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી
આ ઘટના બાદ પલાશ મુછલની તબિયત પણ બગડી હતી અને તેમને પણ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર પલાશના એક અન્ય મહિલા સાથેના કથિત ચેટના સ્ક્રીનશોટ વાયરલ થતાં છેતરપિંડીના આરોપો ઉભા થયા હતા, જોકે બંનેએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ તમામ વચ્ચે 2 ડિસેમ્બરે વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના સત્સંગનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેમાં માસ્ક પહેરેલો એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે. નેટીઝન્સનો દાવો છે કે આ વ્યક્તિ પલાશ મુછલ જ છે, જે માનસિક શાંતિ અને આશીર્વાદ લેવા પ્રેમાનંદ મહારાજ પાસે પહોંચ્યા હતા.
હવે રિપોર્ટ્સ અનુસાર, સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્ન આવનારા 7 ડિસેમ્બર 2025ના રોજ યોજાઈ શકે છે. સ્મૃતિના પિતાની તબિયતમાં સુધારો થતાં પરિવારે નવી તારીખ નક્કી કરી હોવાનું કહેવાય છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આખી ઘટનાએ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.




















