Home International Padma Shri Dr Subbanna Ayyappan Found Dead Famous Agricultural Scientist Was Missing From Homefor 6 Days

પદ્મશ્રી ડૉ. સુબન્ના અયપ્પન મૃત હાલતમાં મળી આવ્યા! : 6 દિવસથી ઘરેથી ગાયબ હતા પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક

પદ્મશ્રી ડૉ. સુબન્ના અયપ્પન મૃત હાલતમાં મળી આવ્યા!
Published by: OBS Bureau
Last Updated: May 13, 2025, 03:42 AM IST

દેશના પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. સુબ્બન્ના અયપ્પન (70)નો મૃતદેહ મળી આવ્યો છે, જે છેલ્લા 6 દિવસથી ગુમ હતા. તેમનો મૃતદેહ શ્રીરંગપટ્ટણમાં સાંઈ આશ્રમ નજીક કાવેરી નદીમાંથી મળી આવ્યો હતો. તેઓ મૈસુરના વિશ્વેશ્વર નગર ઔદ્યોગિક વિસ્તારમાં તેમની પત્ની સાથે રહેતા હતા, પરંતુ 7 મેના રોજ અચાનક તેમના ઘરેથી ગુમ થઈ ગયા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને 2 પુત્રીઓ છે.

શ્રીરંગપટ્ટણ પોલીસે કેસ નોંધીને મૃત્યુના કારણની તપાસ શરૂ કરી છે. પોલીસને શનિવારે સાંજે નદીમાં એક અજાણી લાશ જોવા મળી હોવાની માહિતી મળી હતી. જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને નદીમાંથી લાશ બહાર કાઢી, ત્યારે ગુમ થયેલા વૈજ્ઞાનિકની ઓળખ થઈ. અયપ્પનનું સ્કૂટર નદી કિનારેથી મળી આવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video