Delhi: દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આજે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 497 પર પહોંચી ગયો છે, જે 'સિવિયર પ્લસ' કેટેગરીમાં આવે છે. આ સ્થિતિને કારણે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના સ્ટેજ-IVને અમલમાં મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં તમામ પ્રકારની આઉટડોર રમતગમત પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
CAQMએ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકારોને આદેશ આપ્યો છે કે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં બહારની રમતો અને પ્રવૃત્તિઓને તુરંત રોકી દેવી જોઈએ. આયોગના જણાવ્યા અનુસાર, આવી પ્રવૃત્તિઓ બાળકો માટે 'ગંભીર સ્વાસ્થ્ય જોખમ' બની શકે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના 19 નવેમ્બરના આદેશનું પાલન કરવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં કેટલીક શાળાઓ હજુ પણ આઉટડોર પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહી હતી.
શાળાઓ-કોલેજોમાં આઉટડોર રમતગમત પર પ્રતિબંધ
આ પ્રતિબંધ ઉપરાંત, GRAP-IV અંતર્ગત અન્ય કડક પગલાં પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. જેમાં બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ, ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ, અને ડીઝલ જનરેટર્સના ઉપયોગ પર મર્યાદા શામેલ છે. દિલ્હી સરકારે શાળાઓમાં વર્ગ IX અને XI સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં અભ્યાસનો આદેશ આપ્યો છે. આ સ્થિતિને કારણે શહેરમાં ધુમ્મસ અને ધુમાડાનું ગાઢ આવરણ છવાયેલું છે, જેના કારણે દૃશ્યતા ઘટી છે અને ટ્રાફિકમાં પણ અસર પડી છે.
લાંબા ગાળે ગંભીર અસરની આશંકા
ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો પણ આ સ્થિતિને લઈને ચિંતિત છે. તેઓ લોકોએ જરૂરી કામ વગર બહાર નીકળવું ટાળવું જોઈએ અને હંમેશા હળવા માસ્ક પહેરવા સૂચના આપી છે. તેઓએ વધુમાં ઉચ્ચ AQI સ્તરને કારણે શ્વસન તંત્રમાં સમસ્યાઓ, અસ્થમા, હાર્ટ અટેક અને અન્ય હૃદય સંબંધિત રોગોનું જોખમ વધે છે. બાળકો પર આ પ્રદૂષણની અસર વધુ ગંભીર છે. નિષ્ણાતો અનુસાર, બાળકો વધુ ઝડપથી શ્વાસ લે છે અને તેઓ વધુ સમય બહાર વિતાવે છે, જેના કારણે તેઓ વધુ પ્રદૂષણના સંપર્કમાં આવે છે. ઉચ્ચ AQI સ્તરને કારણે અસ્થમા, શ્વાસની તકલીફ, ખાંસી અને છાતીમાં દુખાવો જેવી સમસ્યાઓ વધી શકે છે. લાંબા ગાળે, તે કેન્સર, ફેફસાંના કાર્યમાં ઘટાડો અને જ્ઞાનાત્મક અસરો પણ કરી શકે છે, જે બાળકોની શીખવાની ક્ષમતાને અસર કરે છે. તેથી, શાળાઓને આઉટડોર પ્રવૃત્તિઓ રોકવા અને વાલીઓને જાગૃત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બાળકો માટે પ્રદૂષણ સૌથી મોટું ખતરો
પ્રદૂષણના મુખ્ય કારણોમાં વાહનોનું ધુમાડું, બાંધકામની ધૂળ, કૃષિમાં પરાળ સળગાવવું અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શામેલ છે. તાજેતરમાં શિયાળાની ઠંડી અને ધીમા પવનને કારણે પ્રદૂષણ વધુ ફેલાઈ રહ્યું છે. સરકાર અને આયોગ દ્વારા આને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ નાગરિકોને પણ તેમની જવાબદારી નિભાવવી જોઈએ. આરોગ્ય નિષ્ણાતોની સલાહ છે કે,લોકોએ N95 અથવા તેનાથી વધુ સારા માસ્ક વાપરવા, ઘરમાં એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો, અને વ્યાયામ અથવા બહારની પ્રવૃત્તિઓને મર્યાદિત કરવી. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા અનુભવાય તો તુરંત ડોક્ટરની સલાહ લો. આ સ્થિતિમાં સાવચેતી જરૂરી છે જેથી આરોગ્યને વધુ નુકસાન ન પહોંચે.





















