શનિવારે નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા અને 13 મુસાફરો ઘાયલ થયા હતા હવે આ મામલે પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે મંત્રીના રાજીનામાની માગ કરી છે.
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું, "અમારી સંવેદનાઓ તેમના પરિવારો સાથે છે જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે. તેના માટે રેલવે મંત્રીની જવાબદારી છે. 2-3 વર્ષમાં જોવા મળ્યું છે કે ઘણી મોટી રેલ દુર્ઘટના સર્જાઈ છે. પરંતુ ભારતમાં એક સમય એવો હતો જ્યારે ટ્રેન અકસ્માત થાય ત્યારે રેલવે મંત્રી રાજીનામું આપતા હતા. રેલવે મંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ.
કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું, 'આ ખૂબ જ દુઃખદ ઘટના છે, પરંતુ આ ઘટનાની જવાબદારી કોણ લેશે? કોઈએ જવાબદારી લેવી પડશે, ઘણા લોકો માર્યા ગયા છે. શા માટે કોઈ મંત્રી જવાબદારી લેતા નથી? છેલ્લા બે દાયકામાં અનેક ઘટનાઓ બની છે. રેલવે મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. અમે આ રાજકીય રીતે નથી કહી રહ્યા પરંતુ માનવતાની બાબત તરીકે તેઓએ આગળ આવવું જોઈએ અને કહેવું જોઈએ કે તેઓ આ ઘટનાઓને રોકી શકતા નથી તેથી તેઓ રાજીનામું આપવા માંગે છે. પીએમ મોદીએ કોઈ બીજાને રેલવે મંત્રી બનાવવો જોઈએ જે રેલવે ક્ષેત્રને બચાવશે અને તેને આગળ લઈ જશે.





