Home Gujarat Rajkot Nandani Bosmiya Suspicious Death Rajkot Jetpur Aap Leader

રાજકોટમાં લિવ-ઈનમાં રહેતી ‘AAP’ નેતાની રહસ્યમય હાલતમાં લાશ મળી! : પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ

Rajkot News
Published by: OBS Bureau
Last Updated: Jun 23, 2026, 01:34 PM IST

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) ના યુવા મહિલા નેતા અને પૂર્વ નગરપાલિકા ઉમેદવાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, નંદનીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ ઘટનાની આસપાસ વણઉકેલાયેલા પ્રશ્નોને કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

જસદણમાં હૃદયદ્રાવક ઘટના : પાણીની ટાંકીમાંથી પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળ્યા

લિવ-ઈન રિલેશનશિપ અને પાર્ટનર સામે ગંભીર આક્ષેપો

મૃતક નંદની બોસમીયા છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢના રહેવાસી અસલમ હુસેન નામના યુવક સાથે લિવ-ઈન રિલેશનશિપ (Live-in Relationship) માં રહેતી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ નંદનીના પરિવારે તેના લિવ-ઈન પાર્ટનર અસલમ પર અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર, અસલમ નંદનીને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો, જેના કારણે તે ભારે તણાવમાં રહેતી હતી.

પરિવારનો મોટો દાવો

"આ આત્મહત્યા નથી, પરંતુ હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને પંખા પર લટકાવી દેવામાં આવ્યો છે."

રાજકોટમાં 'ઘર બચાવો'ની પોકાર : વીજ અને નળ કનેક્શન કાપવા મુદ્દે ખોદેલા ખાડામાં જ સૂઈ ગયા વૃદ્ધ

અગાઉ પણ થયો હતો હુમલો, પરિવારે માંગી ન્યાયની ગુહાર

નંદનીના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અગાઉ પણ અસલમના પરિવાર દ્વારા નંદની પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે નંદનીની હત્યા પાછળ અસલમ અને તેનો પરિવાર હોઈ શકે છે. દીકરી ગુમાવનાર પરિવારે હવે ન્યાયની માંગ કરી છે અને આ મામલે તટસ્થ તપાસ થાય તેવી અપીલ કરી છે.

પોલીસની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ (Post-mortem) અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ (હત્યા કે આત્મહત્યા) સ્પષ્ટ થશે.

રાજકોટમાં FDAના દરોડાથી ખળભળાટ : ગોંડલની મિસરી સ્પાઈસીસમાંથી રૂ. 1.90 કરોડનો શંકાસ્પદ જથ્થો કરાયો સીઝ

રાજકીય વર્તુળોમાં ગરમાવો

મૃતક નંદની બોસમીયા આમ આદમી પાર્ટીની સક્રિય કાર્યકર હતી અને જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ ઝંપલાવી ચૂકી હતી. નાની ઉંમરે રાજકારણમાં સક્રિય બનેલી યુવતીના આવા રહસ્યમય મોતના કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now