વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને પુણેની જનતા માટે ચાર મોટા નિર્ણયો લેવામાં આવ્યા. મંગળવારે બપોરે મળેલી કેબિનેટ બેઠકમાં રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવા ઉપરાંત, ચાર મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી. આ નિર્ણયોમાં પુણેમાં મેટ્રો વિસ્તરણ સંબંધિત એક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા (ઓખા) - કનાલુસ રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ, બદલાપુર - કર્જત સેક્શનમાં ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું બાંધકામ અને પ્રથમ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ સ્કીમની મંજૂરીનો સમાવેશ થાય છે.
કેબિનેટના 4 નિર્ણયો
રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ મંજૂર
• રકમ: રૂ. 7,280 કરોડ
• ઉદ્દેશ્ય: રેર અર્થ મેગ્નેટ ઉત્પાદન અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવું.
પુણે મેટ્રોના વિસ્તરણને મંજૂરી
• રકમ: રૂ. 9,858 કરોડ
• પુણેમાં મેટ્રો નેટવર્કનું વિસ્તરણ શહેરી પરિવહન માટે મોટો ફાયદો થશે.
દેવભૂમિ દ્વારકા (ઓખા) – કનાલુસ રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ
• રકમ: રૂ. 1,457 કરોડ
• ગુજરાતના આ મહત્વપૂર્ણ વિભાગમાં ટ્રાફિક ક્ષમતામાં વધારો કરશે.
બદલાપુર - કર્જત સેક્શનમાં ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું બાંધકામ
• રકમ: રૂ. 1,324 કરોડ
• મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં રેલ ટ્રાફિકને સરળ બનાવવા માટેનું પગલું





















