Gujarat ATS: ગુજરાત ATSની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. સોશિયલ મીડિયા થકી આતંકીઓની રિક્રૂટમેન્ટ કરતી મહિલાની ધરપકડ કરી છે. જે સોશિયલ મીડિયા થકી યુવાઓનું માઈન્ડ વોશ કરીને તેને ધાર્મિક અને ઉશ્કેરણીજનક સાહિત્ય મોકલીને જેહાદ માટે તૈયાર કરતા હતા. જે ઝડપાયેલી મહિલાનું અલકાયદા સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે. જેને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે.
મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ''ચાર આતંકીઓની પહેલા ધરપકડ કરી હતી અને ગઈકાલે ફરી એકવાર મોટી સફળતા ગુજરાત ATSને મળી છે, એક મહિલા બેગલુરુંથી મળી આવી છે. આ મહિલા ઓનલાઈન ટેરર પર કામ કરતી હતી, તેના મહત્વપૂર્ણ પાકિસ્તાની સંપર્ક છે. પાંચ જેટલા મહત્વપૂર્ણ ઓનલાઈન ટેરર મોડ્યુલ પર કામ કરવાવાળા અલકાયદાના આતંકીઓની ધરપકડ કરવાની સફળતા મળી છે. ત્યારે હું ગુજરાત ATSને અભિનંદન પાઠવું છું.
સોશિયલ મીડિયા થકી આતંકીઓની 'ડિજિટલ રિક્રૂટમેન્ટ'
તપાસ દરમિયાન સામે આવ્યું કે, સમા પરવીન અને અન્ય આતંકી તત્વો સોશિયલ મીડિયાના માધ્યમથી ધાર્મિક ઉશ્કેરણીવાળી સામગ્રી શેર કરતા હતા. તેઓ 'જેહાદ' અને 'શરિયત'ને આધારે નવો યુથ રિક્રૂટ કરવાની કોશિશ કરી રહ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયાને 'ડિજિટલ બ્રેનવોશિંગ' તરીકે ઓળખી શકાય છે.
ગુજરાત ATSએ સમા પરવીન વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે અને તેના મોબાઈલ ફોન, લૅપટોપ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એજન્સી હવે આ કેસમાં આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કડી શોધી રહી છે, કારણ કે આ પ્રકારની કામગીરી દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર પડકાર બની શકે છે.




















