Home Religion Mahasanyog 19 March 2026 Festivals Astrology

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ : એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ
Published by: OBS Bureau
| Last Updated: Mar 18, 2026, 04:00 PM IST

19 માર્ચ 2026નો દિવસ ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અત્યંત ફળદાયી સાબિત થવાનો છે. આ દિવસે એકસાથે અનેક મોટા પર્વો, વ્રત અને દુર્લભ યોગોનો સમન્વય થઈ રહ્યો હોવાથી તેને 'સુપર સંયોગ' માનવામાં આવે છે. શ્રદ્ધા અને આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ આ દિવસનું મૂલ્ય અનેકગણું વધી જાય છે કારણ કે વિવિધ પરંપરાઓનો સંગમ આ એક જ તારીખે જોવા મળશે.

પંચાંગ અનુસાર 19 માર્ચના રોજ ચૈત્ર સુદ એકમની તિથિ છે અને આ જ દિવસથી ચૈત્ર નવરાત્રીનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસે ઘટસ્થાપના સાથે આદ્યશક્તિની આરાધનાના નવ દિવસ શરૂ થશે. આ ઉપરાંત વર્ષ 2026માં ચૈત્ર અમાસ પણ 19 માર્ચના રોજ છે. અમાસની તિથિ 18 માર્ચથી શરૂ થઈ જશે પરંતુ ઉદયાતિથિ મુજબ 19 માર્ચે સ્નાન અને દાન કરવાનું વિશેષ પુણ્ય પ્રાપ્ત થશે.

ભારતીય સંસ્કૃતિ માટે આ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે 19 માર્ચથી જ હિન્દુ નવવર્ષ એટલે કે વિક્રમ સંવત 2083ની શરૂઆત થઈ રહી છે. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં આ દિવસે ગુડી પડવો ઉજવવામાં આવશે જે નવા વર્ષના સ્વાગત અને વિજયનું પ્રતીક છે. તેવી જ રીતે દક્ષિણ ભારતમાં 'યુગનો પ્રારંભ' ગણાતો ઉગાડી પર્વ પણ આ જ દિવસે મનાવવામાં આવશે જે તેલુગુ નવવર્ષની શરૂઆત સૂચવે છે.

સનાતન ધર્મ માટે વધુ એક મહત્વની ઘટના અયોધ્યાના રામ મંદિરમાં આકાર લેશે. 19 માર્ચના રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ જન્મભૂમિ મંદિરના ત્રીજા માળે શ્રી રામ યંત્રની સ્થાપના કરવામાં આવશે. જ્યોતિષીય ગણતરી મુજબ આ દિવસે મીન રાશિમાં શનિ, સૂર્ય, શુક્ર અને ચંદ્રનો ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે જેની સાથે શુક્લ યોગનો પણ પ્રભાવ રહેશે.

ઇસ્લામિક કેલેન્ડરની દ્રષ્ટિએ પણ આ દિવસ મહત્વપૂર્ણ છે. જાણકારોના મતે 19 માર્ચના રોજ શવ્વાલનો ચાંદ દેખાઈ શકે છે જેના આધારે ભારતમાં 20 માર્ચે ઈદ ઉજવાય તેવી શક્યતા છે. જો સાઉદી અરેબિયામાં 18 માર્ચે ચાંદ દેખાશે તો ત્યાં 19 માર્ચના રોજ ઈદ-ઉલ-ફિતરની ઉજવણી થઈ શકે છે. આમ આ દિવસ સર્વધર્મ અને જ્યોતિષ માટે એક અનોખો સંયોગ લઈને આવી રહ્યો છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!: નહીં તો ઘરમાં થશે આર્થિક સંકટ અને કલહનું તાંડવ! જાણો શુભ દિશા અને વાસ્તુ નિયમો

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!: કઈ રાશિવાળા લાગશે લોટરી અને કોને ઝટકો? જાણો તમામ 12 રાશિઓ પર સંપૂર્ણ અસર

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા: જાણો શું છે સાચી દિશા અને નિયમો

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!: આ 4 રાશિવાળા બનશે મિલિયનર! ઘરમાં વરસશે સોનાની અપાર વર્ષા!

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!

સૂર્ય-બુધની દુર્લભ જોડીએ બનાવ્યો અષ્ટાદશ યોગ!: ચૈત્ર નવરાત્રિ પહેલાં જ આ 5 રાશિવાળા માટે ખુલશે ખજાનાના દરવાજા! મળશે અદ્ભુત સફળતા અને ધનલાભ!

સૂર્ય-બુધની દુર્લભ જોડીએ બનાવ્યો અષ્ટાદશ યોગ!

ભારતમાં માથું ઢાંકવાની અનોખી પરંપરા: જાણો અલગ-અલગ રાજ્યોમાં તેની પાછળનો અર્થ

ભારતમાં માથું ઢાંકવાની અનોખી પરંપરા

જ્ઞાનથી નિર્વાણ સુધી: જાણો ભારતના 8 પ્રસિદ્ધ બૌદ્ધ મઠો અને તેનો ભવ્ય ઈતિહાસ

જ્ઞાનથી નિર્વાણ સુધી

હનુમાનજી પાસેથી શીખો મનને શાંત અને મજબૂત રાખવાના 7 શક્તિશાળી ઉપાય: જીવનના દરેક સંઘર્ષમાં અવિચલ રહેવા માટે હનુમાનજીના આ ગુણો છે અચૂક

હનુમાનજી પાસેથી શીખો મનને શાંત અને મજબૂત રાખવાના 7 શક્તિશાળી ઉપાય

બુધની સીધી ચાલથી ખુલશે ભાગ્યના તાળા!: કઈ રાશિઓનો સુવર્ણકાળ? કોના ફૂટશે નસીબ? જાણો 12 રાશિઓ પરની વિગતવાર અસર!

બુધની સીધી ચાલથી ખુલશે ભાગ્યના તાળા!

શનિના ઘરમાં શક્તિશાળી ગ્રહોની મહાયુતિ: ટૂંક જ સમયમાં આ 4 રાશિવાળા કરશે અદાણી-અંબાણી જેવી કમાણી, ચતુર્ગ્રહી યુતિ કરશે ચમત્કાર!

શનિના ઘરમાં શક્તિશાળી ગ્રહોની મહાયુતિ

હિન્દુ નવા વર્ષમાં અદ્ભુત ગ્રહ સંયોગ!: આ 4 રાશિવાળાના જીવનમાં આવશે બોલિવુડ સ્ટાઇલ ટ્વિસ્ટ! 19 માર્ચથી લાગી જશે સફળતાની લાઈન!

હિન્દુ નવા વર્ષમાં અદ્ભુત ગ્રહ સંયોગ!

ચૈત્ર અમાવસ્યા પર અજમાવો ફટકડીનો આ સરળ ઉપાય!: બદલાઈ જશે નસીબ, ખૂલી જશે ધન-સંપત્તિના દ્વાર!

ચૈત્ર અમાવસ્યા પર અજમાવો ફટકડીનો આ સરળ ઉપાય!

શનિના ગોચરથી જીવનમાં આવશે ધમાકેદાર બદલાવ: આ 3 રાશિવાળાના ખૂલી જશે ભાગ્યના તાળા! બેંક બેલેન્સમાં આવશે અબજોની છલાંગ!

શનિના ગોચરથી જીવનમાં આવશે ધમાકેદાર બદલાવ

કયા ધર્મના ઉપવાસ હોય છે સૌથી કઠિન?: જાણો હિન્દુ, મુસ્લિમ, જૈન અને અન્ય ધર્મોમાં શું છે પરંપરા

કયા ધર્મના ઉપવાસ હોય છે સૌથી કઠિન?

શું તમારા શરીર પર પણ છે આ ખાસ જગ્યાઓએ તલ?: જાણો કઈ રીતે તે લાવે છે સુખ અને અપાર સંપત્તિ

શું તમારા શરીર પર પણ છે આ ખાસ જગ્યાઓએ તલ?

શું તમે પણ ઈન્ડક્શન પર બનાવો છો રસોઈ: જાણી લો વાસ્તુ શાસ્ત્રનો આ જરૂરી નિયમ, નહીંતર...

શું તમે પણ ઈન્ડક્શન પર બનાવો છો રસોઈ

નવા ઘરેણાંની ખરીદી કે ધારણ કરવા માટે કયો સમય છે શ્રેષ્ઠ?: જાણો વૈદિક ગ્રંથોમાં છુપાયેલું રહસ્ય

નવા ઘરેણાંની ખરીદી કે ધારણ કરવા માટે કયો સમય છે શ્રેષ્ઠ?