મહારાષ્ટ્રમાં ૨૦૦૦ સરકારી શાળાઓ બંધ, શિક્ષણ મંત્રાલયમાં કરોડોનું કૌભાંડ: સંજય રાઉતના મહાયુતિ સરકાર પર પ્રહારો
મુંબઈ: શિવસેના (UBT) નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રની શાસક સરકાર અને ભાજપ પર શિક્ષણ ક્ષેત્રે ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેલા મહારાષ્ટ્રમાં આજે ૨૦૦૦ સરકારી શાળાઓ બંધ થઈ ચૂકી છે, જે દર્શાવે છે કે સરકાર શિક્ષણ પ્રત્યે કેટલી ગંભીર છે. સંજય રાઉતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, મુખ્યમંત્રીની નાક નીચે શિક્ષણ મંત્રાલયમાં પૈસા વગર કોઈ કામ થતું નથી અને કરોડોનું કૌભાંડ ચાલી રહ્યું છે. રાજ્યમાં દરરોજ પેપર લીક થઈ રહ્યા છે અને નીટ (NEET) કૌભાંડના અડધાથી વધુ ગુનેગારો પુણે અને લાતુરના ભાજપના કાર્યકર્તાઓ હોવાનો પણ તેમણે ગંભીર દાવો કર્યો છે.