એલચી એટલે ભારતીય રસોડાનું અવિભાજ્ય અંગ.ચા થી લઈને બીરીયાની સુધી જેનો ઉપયોગ થાય છે એવી એલચી ખૂબ જ ગુણકારી છે. દેખાવમાં નાની એલચી મોટા મોટા ફાયદા કરાવે છે. એલચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવાની સાથે માઉથ ફ્રેશનર તરીકે પણ કરવામાં આવે છે. જેનો ભાવ 5000 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધારે છે, એ એલચી ઘણી ગુણકારી છે.જો કે, તેના ઉપયોગમાં એટલું જ ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલા આપણે તેને ફાયદા જાણી લઈએ.
આટલી ગુણકારી છે એલચી
એલચીમાં તેમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજો ભરપૂર માત્રામાં મળી આવે છે, જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. એલચીમાં હાજર વિટામિન સી, વિટામિન બી6 અને નિયાસિન રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે અને શરીરને ઉર્જા પ્રદાન કરે છે. આ સાથે જ એલચીમાં પ્રચુર માત્રામાં ફાયબર હોય છે. જે પાચનને સુધારે છે. સાથે જ તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.તે એનીમિયા જેવી સમસ્યાઓથી બચાવે છે.
એલચી ખાવાની સાચી રીત
એલચીને તમે સીધી ચાવી શકો છો, જેનાથી શ્વાસની દુર્ગંધ તો દૂર થાય છે પણ પાચનક્રિયા પણ સુધરે છે. તેના પાઉડરને દૂધ, લસ્સી અથવા હળદરવાળા દૂધમાં ભેળવીને પીવાથી શરીરને વધારાનું પોષણ મળે છે અને શરદી કે ગળાના દુખાવાથી રાહત મળે છે. સવારે ખાલી પેટે એલચી ચાવવાથી પાચનની ક્રિયા ઝડપી બને છે અને શરીરને ઉર્જા મળે છે.
એલચી ખાઓ પણ સંભાળીને
જો કે, એલચી પ્રકૃતિની ગરમ હોય છે.એટલે સંભાળીને તેને ખાવી જોઈએ.ગર્ભાવસ્થા દરમિયાન એલચીનું વધુ પડતું સેવન કરવાથી કસુવાવડ થઈ શકે છે.એલચીના વધુ પડતા સેવનથી પિત્તાશયમાં પથરી બનવાની શક્યતા વધી જાય છે.કેટલાક લોકોને એલચીથી એલર્જી થઈ શકે છે, જેના કારણે ખંજવાળ અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. કહેવાય છે કે, અતિને ગતિ નથી હોતી. અને એટલે જ એલચીનું પણ અતિશય સેવન નુકસાન કરાવી શકે છે. માટે તેને સંભાળીને ખાવી જોઈએ.
(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. OffBeatStories તેની કોઈ જવાબદારી નથી લેતું. તેને અમલમાં મુકતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લો)





















