અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌતે વકફ સુધારા બિલને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર, જે આપણા દેશને ઉધઈની જેમ ખાઈ રહ્યો છે. તેને વકફ સુધારા બિલ દ્વારા ખતમ કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીના કારણે જ આપણને ભાગ્યશાળી દિવસો જોવા મળ્યા છે. આ બિલ દ્વારા સીધો સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે ધાર્મિક સંગઠન કાયદાથી ઉપર નથી. હિમાચલ પ્રદેશના મંડીના સાંસદ રણૌતે પ્રસ્તાવિત કાયદાની પ્રશંસા કરી અને કહ્યું કે કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા કાયદા અથવા બંધારણથી ઉપર નથી. જેનો ઉદ્દેશ્ય ભારતમાં વકફ મિલકતોના સંચાલન અને વહીવટમાં સુધારો કરવાનો છે.
તેમણે પત્રકારોને કહ્યું કે તેનો સાર એ છે કે કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા કે કોઈ પણ ધાર્મિક સંસ્થા કાયદા અને બંધારણથી મોટી નથી. ભ્રષ્ટાચાર જે આપણા દેશને ઉધઈની જેમ ખાઈ રહ્યો હતો તે આપણું સૌભાગ્ય છે. વક્ફ સુધારા બિલને ગુરુવારે લોકસભામાં 12 કલાકની ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું હતું જેમાં સરકાર અને વિપક્ષો સામસામે હતા. સવારે લગભગ 2 વાગ્યે બિલ 288-232 મતોથી પસાર થયું હતું. આ બિલ આજે રાજ્યસભામાં લાવવામાં આવ્યું હતું. જ્યાં કોંગ્રેસે દલીલ કરી હતી કે ભાજપ ગયા વર્ષે સામાન્ય ચૂંટણીઓમાં પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ બિલ લાવીને સમાજનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે.
સરકારે વિપક્ષના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે આ બિલ પ્રોપર્ટી અને તેના મેનેજમેન્ટ વિશે છે. ધર્મ વિશે નહીં. વકફમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ હતી. જેના કારણે મહિલાઓ અને બાળકોને વકફ મિલકતનો લાભ મળી શક્યો ન હતો. જ્યારે સુધારેલા કાયદાથી તેઓ આ લાભ મેળવી શકશે.




















