Premanand Maharaj message: ઠંડીની ઋતુમાં વહેલા ઉઠવું ઘણાને મુશ્કેલ લાગે છે. સવારે અલાર્મ વાગે ત્યારે "આજે તો થોડી વાર વધુ સુઈ જાઉં" એ વિચાર આવી જ જાય છે. પણ જો તમને પણ આવી આળસ સતાવતી હોય તો વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજનો તાજેતરનો સંદેશ જરૂર સાંભળવો.
સવારે વહેલા ઉઠવું જીવનની સૌથી મોટી સાધના
એક વાયરલ વીડિયોમાં પ્રેમાનંદ મહારાજે શિષ્યોને સંબોધતાં કહ્યું,
"સવારે વહેલા ઉઠવું એ જીવનની સૌથી મોટી સાધના છે. જે વ્યક્તિ સવારે વહેલા ઉઠે છે અને પોતાની દિનચર્યાને શિસ્તમાં રાખે છે, એની સફળતા કોઈ રોકી નથી શકતું.
શિસ્તના કારણે જ આજે ભગવાનની કૃપા મળી
"મહારાજે પોતાના જીવનનું જીવંત ઉદાહરણ આપતાં જણાવ્યું કે, "હું 16 વર્ષની ઉંમરથી જ સવારે 2 વાગ્યે ઉઠું છું. ઠંડી હોય કે ગરમી, વરસાદ હોય કે તોફાન રોજ સવારે 2 વાગ્યે ઉઠીને ભજન-કીર્તન કરું છું, પછી ગંગાસ્નાન કરું છું. આ શિસ્તના કારણે જ આજે ભગવાનની કૃપા મળી છે."આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લાખો લોકો તેને શેર કરીને પોતાના જીવનમાં વહેલા ઉઠવાનો સંકલ્પ લઈ રહ્યા છે. ઘણા યુવાનોએ કોમેન્ટમાં લખ્યું છે કે "મહારાજનું આ વાક્ય જીવન બદલી નાખશે.
ભક્તિ માટે કોઈ મોટા ચમત્કારની જરૂર નથી
"પ્રેમાનંદ મહારાજનો આ સીધો-સાદો પણ ગહન સંદેશ દર્શાવે છે કે સફળતા કે ભક્તિ માટે કોઈ મોટા ચમત્કારની જરૂર નથી, ફક્ત નિયમિતતા અને શિસ્તની જરૂર છે. જો તમે પણ આ શિયાળામાં વહેલા ઉઠવાનો સંકલ્પ લેવા માંગો છો, તો મહારાજના શબ્દો યાદ રાખજો."જે સવારે વહેલો ઉઠે, એની સાથે ભગવાન પોતે ઉઠે છે."





















