India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની રોમાંચક સિરીઝ ચાલી રહી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ચાર મેચ બાદ ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-2થી પાછળ છે. આ આખી સિરીઝમાં ટીમને આશા હતી કે સિનિયર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી ઘણા રન બનાવશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. ટીમ હવે દસ વર્ષના લાંબા અંતરાલ બાદ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર સિરીઝ હારની અણી પર છે. આ જ કારણ છે કે બન્ને ખેલાડીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. માત્ર વિરાટ-રોહિત જ નહીં, મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, BCCI કેપ્ટન રોહિત અને કોચ ગંભીર સાથે મીટિંગ કરી શકે છે, જ્યાં તેઓ સિરીઝ સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની અને રોહિત વચ્ચે કેપ્ટનશિપ અને નિવૃત્તિને લઈને વાતચીત થઈ છે.
Gautam Gambhir addressed the conflict between Intent & Team interest. He told the players that instead of executing the 'Plans discussed', they were doing their own thing...!!!!
— Tanuj Singh (@ImTanujSingh) January 1, 2025
- Gambhir also discussed how the batters had been underperforming for a while now. (Express Sports). pic.twitter.com/dRfZ7i2EkP
રોહિતનું બેટ રહ્યું મૌન
બેટ સાથે રોહિતનું નિરાશાજનક પ્રદર્શન ચાલુ સિરીઝમાં મોટો મુદ્દો રહ્યો છે. ભારતીય કેપ્ટને વર્તમાન સિરીઝની પાંચ ઇનિંગ્સમાં 6.20ની એવરેજથી માત્ર 31 રન જ બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામેની ઘરઆંગણે રમાયેલી સિરીઝ બાદથી તેના ફોર્મમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આપણે છેલ્લી 15 ઇનિંગ્સ પર નજર કરીએ તો તેની એવરેજ 11થી ઓછી રહી છે. મેલબર્નમાં હાર બાદ ખુદ કેપ્ટને આ ઘટાડા અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, 'હા, એક બેટ્સમેન તરીકે હું જે પણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તે યોગ્ય રીતે થઈ રહ્યું નથી. આ એક માનસિક રીતે પરેશાન કરનારી બાબત છે. જો તમે અહીં છો તો તમે સફળ થવા માંગો છો અને તમારી પાસેથી એ જ અપેક્ષા રાખવામાં આવે છે. જો તે વસ્તુઓ યોગ્ય ન જાય, તો તે એક મોટી નિરાશા છે.
રોહિતના નેતૃત્વ પર ઉઠ્યા સવાલો
ગંભીરના માર્ગદર્શન હેઠળ ભારતને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ઐતિહાસિક ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝમાં માત્ર તેના વ્યક્તિગત પ્રદર્શનને જ નહીં પરંતુ કેપ્ટન તરીકે તેની નિર્ણય લેવાની ક્ષમતાને પણ અસર કરી છે. આ જ કારણે તેમના નેતૃત્વ પર સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકોએ રોહિતની કપ્તાની હેઠળ શુભમન ગિલ જેવા ફોર્મમાં રહેલા ખેલાડીઓને સતત બાકાત રાખવાની આકરી ટીકા કરી હતી.





















