ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) કાનપુરના પ્રોફેસરે બે કેમિકલ પેસ્ટ મિક્સ કરીને અને તૂટેલા હાડકાંમાં ઈન્જેક્શન આપીને હાડકાંને જોડવાની નવી ટેકનિક તૈયાર કરી છે. આ ટેક્નોલોજી બનાવનારા ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ એન્ડ બાયોએન્જિનિયરિંગના પ્રોફેસર અશોક કુમારે જણાવ્યું કે, આ સિન્થેટિક હાડકાને નેચરલ હાડકાની જેમ બનાવાશે. ભારતના દૃષ્ટિકોણથી તેને તબીબી વિજ્ઞાનમાં ક્રાંતિ કહી શકાય. IIT કાનપુરના પ્રોફેસર અશોક કુમારનું કહેવું છે કે જે લોકોના હાડકાં ભયંકર અકસ્માતમાં તૂટી ગયા છે તેમના હાડકાંને સિન્થેટિક હાડકાં દ્વારા સરળતાથી જોડી શકાય છે.
સિન્થેટિક હાડકાં કેવી રીતે કામ કરશે?
બુધવારે આ ટેક્નોલોજી ખાનગી કંપનીને આપવામાં આવી હતી. તેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પ્રોફેસર અશોકે જણાવ્યું કે, માઈક્રો પોરસ જેલ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યાના 15 મિનિટ પછી ખૂબ જ સખત થઈ જશે. તેમણે કહ્યું કે આ મિશ્રણથી શરીરમાં ઓક્સિજનની સપ્લાય અને રક્ત પરિભ્રમણ પર કોઈ અસર નહીં થાય. જે ટિશ્યૂની રચના અને શરીરની પોતાને સાજા કરવાની ક્ષમતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ટીબીથી કેન્સર અને હાડકાના રોગ થાય છે
પ્રોફેસરે કહ્યું કે સામાન્ય રીતે ટીબી અથવા હાડકાના કેન્સરના કિસ્સામાં, ડોકટરો પાસે પીડિત અંગને કાપી નાખવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો. કારણ કે હાડકાંના વિકાસની કોઈ આશા નથી હોતી. તે જ સમયે, અકસ્માતમાં હાડકાં તૂટવાના કેસમાં ડોકટરો અંતિમ વિકલ્પ તરીકે તે ભાગને કાપી નાખે છે.




















