Premanand Maharaj: વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ જી મહારાજના પ્રવચનમાં એક મહિલા ભક્તે દિલ ખોલીને પોતાની વેદના વ્યક્ત કરી કહ્યું- “મહારાજ, ઓફિસમાં મારું દરરોજ અપમાન થાય છે, ટીકા થાય છે, ઉપહાસ થાય છે, અવગણના થાય છે… હું આ સહન નથી કરી શકતી. શું મારે આ નોકરી છોડી દેવી જોઈએ?
મહારાજશ્રીએ મુસ્કાન સાથે જવાબ આપ્યો: બેટા, જો લોકો હેરાન કરે, અપમાન કરે અને તું સહન ન કરી શકે તો એક જ ઉપાય છે – ભગવાનનું નામ લે. આ નામ તારી સહનશક્તિને આસમાને પહોંચાડી દેશે.
જે સહન કરે છે એ મહાત્મા છે. જે તૂટી જાય છે એ સંસારી છે. ભગવાને તને પરિસ્થિતિ બદલવા માટે નથી મોકલ્યો. પરંતુ દરેક પરિસ્થિતિમાં તારું હૃદય પાક્કું કરવા મોકલ્યો છે.
માયા તો દરેક જગ્યાએ છે, તેં ક્યાંય ભાગીને નહીં છૂટકારો મેળવી શકે.
જ્યાં જઈશ ત્યાં નવા લોકો, નવી પોલિટિક્સ મળશે. આજની આ પરિસ્થિતિ ભગવાને તને ખાસ તારા માટે બનાવી છે –તું અહીં જ મજબૂત બન, સહનશીલ બન, નિર્ભીક બન. જ્યારે તું સહન કરતાં શીખી જઈશ, ત્યારે ઓફિસની ટીકા, અપમાન કે પોલિટિક્સ તને સ્પર્શ પણ નહીં કરી શકે. બસ એક જ કામ કર: આ નામ તને અંદરથી અજેય બનાવી દેશે.”
મહારાજશ્રીનો સ્પષ્ટ સંદેશ
નોકરી બદલવાથી કે લોકો સામે ઝઘડવાથી કંઈ નહીં બદલે, પોતાની અંદર સહનશીલતા અને ભગવાનનો સહારો લઈએ તો દુનિયાની કોઈ પોલિટિક્સ આપણને હરાવી શકે નહીં.





















