શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિટામિન્સ અને મિનરલ્સની જરૂર રહે છે. જો કોઈ વિટામિનની ઉણપ હોય, તો તેની આરોગ્ય પર ખરાબ અસર કરે છે. આવું એક મહત્વપૂર્ણ વિટામિન E છે, વિટામિન E એએક એન્ટિઓક્સીડેન્ટ છે, જે કોષિકાઓને નુકસાન પહોંચાડતા ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. હૃદયમાં ગઠ્ઠા ના જામી જાય તે માટે વિટામિન E જરૂરી છે. જો શરીરમાં વિટામિન Eની ઉણપ હોય તો તેનાથી હાથ અને પગને જકડાઈ શકે છે.
વિટામિન Eની ઉણપથી થતી અસરો
હાથ અને પગ જકડાઈ જવા
સ્નાયુઓ નબળા પડવા
ચાલવામાં મુશ્કેલી
આંખની સમસ્યા
નબળી રોગ પ્રતિકારક શક્તિ
વારંવાર બિમાર પડવું
સુસ્તી અને થાક
એક વ્યક્તિને દરરોજ કેટલું વિટામીન E લેવું જોઈએ?
હાર્વર્ડ હેલ્થના અહેવાલ મુજબ, 14 વર્ષ અને તેથી વધુ વયના પુરુષો અને સ્ત્રીઓને દરરોજ 15 મિલિગ્રામ વિટામિન Eલેવાની જરૂર છે. સ્તનપાન કરાવતી મહિલાઓને દરરોજ 19 મિલિગ્રામ વિટામિન Eની જરૂર પડે છે.
વિટામીન Eથી ભરપૂર ફૂડ
વિટામિન Eની ઉણપને દૂર કરવા માટે દરરોજ બદામ ખાવાનું રાખો. આહારમાં સરસવના બી સામેલ કરો. સૂર્યમુખી અને સોયાબીન તેલનો ઉપયોગ કરો. પીનટ બટર અને મગફળી ખાવાનું રાખો. શાકભાજીમાં બીટ, કોલાર્ડ ગ્રીન્સ, પાલક, કોળા, લાલ કેપ્સિકમ, કેરીને સામેલ કરો. આ શરીરમાં વિટામિન Eની ઉણપ પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે.
વિટામીન Eની ઉણપ કેમ થાય?
જે લોકો યોગ્ય આહાર લેતા નથી. તેમના શરીરમાં વિટામિન Eની ઉણપ હોઈ શકે છે. આનુવંશિક કારણોને કારણે શરીરમાં વિટામિન Eની ઉણપ થાય છે. જો તમારા પરિવારમાં કોઈનામાં વિટામિન Eની ઉણપ હોય અથવા તેનાથી સંબંધિત કોઈ રોગ હોય તો તમને પણ આ સમસ્યા થઈ શકે છે. ક્રોનિક પેન્ક્રિયાટાઈટિસ, યકૃત રોગ અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સમસ્યા પણ થઈ શકે છે.
DISCLAIMER:
આર્ટિકલમાં આપેલી જાણકારી જુદા જુદા રિસર્ચ અને મીડિયા રિપોર્ટ્સના આધારે આપવામાં આવી છે, આ સૂચનોની અમલવારી કરતા પહેલા કોઈ નિષ્ણાંત તબીબની સલાહ અનુસરો.




















