સામાન્ય ગરમ મસાલો કોઈપણ વાનગીમાં ઉમેરવામાં આવે તો સ્વાદ આવી જાય છે. ગરમ મસાલો વાનગીમાં વેજીટેરિયન કે નોન વેજીટેરિયન તમામ પ્રકારની વાનગીઓ માટે આવશ્યક મસાલો છે. તજ, લવિંગ, તમાલપત્ર, કાળા મરી જેવા મસાલાઓનું મિશ્રણ છે. જો તમે મસાલાના ઉપયોગને લઈ સજાગ હોવ છો તો તેનાથી થતા ફાયદા-નુકસાનની જાણકારી હોવી જરૂરી છે. ભારતીય રસોઈમાં ઉપયોગમાં લેવાતા કેટલાક મસાલાથી ફાયદા-નુકસાન બંને થાય છે.
ગરમ મસાલાના કારણે થતા ફાયદા
શરદી-ખાંસીમાં રાહત
જેમ જેમ ઠંડીની સિઝન નજીક આવે તેમ શરદી-ખાંસી થવી સામાન્ય છે. ગરમ મસાલામાં જે તજ, કાળા મરીનો ઉપયોગ થયો હોય તો આ બિમારીથી રાહત મળે છે.
પાચનતંત્રમાં સુધારો
ઠંડીની સિઝનમાં ગરમ ભજીયા, છોલે-ભટૂરે જેવી વસ્તુઓ ખાવાની લોકોને મજા આવે છે, પરંતુ આવુ બધુ ખાઈને પાચનની સમસ્યા વધી જાય છે. જો આવા ભોજનમાં યોગ્ય માત્રામાં ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે તો પાચનની સમસ્યા રહેતી નથી.
બ્લડ સુગર નિયંત્રણમાં રાખે
બ્લડ સુગરને નિયંત્રણમાં કરવા તજ મહત્વનો ભાગ ભજવે છે. ગરમ મસાલામાં તજનું સેવન કરવામાં આવે તો બ્લડ સુગર નિયંત્રિત થઈ શકે છે.
દુ:ખાવા અને સોજામાં રાહત
ગરમ મસાલામાં સોજાને ઓછો કરવાના ગુણ હોય છે, સોજો ઓછો કરવામાં અને દુ:ખાવામાં રાહત આપે છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓના ભોજનમાં જીરુ અથવા અન્ય ગરમ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે. એન્ટી ડાયાબિટીક તરીકે કામ કરે છે.
એન્ટી ઓક્સિડન્ટ
ગરમ મસાલા એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જેનાથી સ્કિનની સમસ્યામાં રાહત મળે છે...
હા... ગરમ મસાલાથી ફાયદો તો જાણ્યા, હવે તેનાથી થનારા નુકસાન જાણી લો
ગરમ મસાલાનો ઉપયોગ વ્યંજનમાં ઉપયોગ કરો તો તેનાથી ફાયદા થાય છે, પરંતુ તેનાથી સાઈડ ઈફેકટ પણ થાય છે. વધારે ગરમ મસાલાનો ઉપયોગ કરાય તો મસા-ભગંદરની સમસ્યા થઈ શકે છે, તે સિવાય છાતીમાં બળતરા, એસિડીટી અને પેટમાં પણ બળતરા થાય છે.
DISCLAIMER:
આર્ટિકલમાં આપેલી જાણકારી જુદા જુદા રિસર્ચ અને મીડિયા રિપોર્ટ્સના આધારે આપવામાં આવી છે, આ સૂચનોની અમલવારી કરતા પહેલા કોઈ નિષ્ણાંત તબીબની સલાહ અનુસરો.




















