સ્થૂળતા વિશ્વ માટે હવે એક રોગચાળો બની ગયો છે. લોકોનું બેઠાળું જીવન, વધારે પડતું ટેન્શન, ઉંઘ પુરી ના થવી, અનિયમિત ભોજન સહિતના કારણે સ્થૂળતા સતત વધી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નો મત છે તાજેતરના વર્ષોમાં સ્થૂળતા એ સૌથી ઝડપથી વિકસતા રોગોમાંનો એક છે. આ જ કારણ છે કે આ રોગે ભારત સહિત વિશ્વભરના દેશોની ચિંતામાં મુક્યા છે.
1990માં, ભારતમાં માત્ર 12% સ્ત્રીઓ અને 8% પુરુષો મેદસ્વી હતા, અને 15થી 24 વર્ષની વયના યુવાનોની સંખ્યા માત્ર 73 લાખ હતી. પરંતુ વર્ષ 2021માં આ વય જૂથના 2 કરોડ 98 લાખ યુવાનો મેદસ્વી બન્યા અને આજે 2025માં ભારતના 10 કરોડથી વધુ લોકો મેદસ્વી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, વિશ્વમાં દર આઠમો વ્યક્તિ મેદસ્વી છે. તે કેન્સર અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો જેવા ઘણા રોગો તરફ દોરી શકે છે. આ બિન-ચેપી રોગો તરફ પણ દોરી શકે છે. હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ પણ રહે છે.
સ્થૂળતા ટાઇપ-2 ડાયાબિટીસ, હૃદય રોગ, સ્ટ્રોક, ઓસ્ટીયોપોરોસિસ અને કેટલાક કેન્સર જેવા ઘણા રોગોનું જોખમ વધારી શકે છે.
ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, વર્ષ 2022માં 15.9 કરોડ બાળકો અને કિશોરો અને 87.9 કરોડ પુખ્ત લોકો મેદસ્વી હતા. WHOની મદદથી હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં 190થી વધુ દેશોના 1500થી વધુ સંશોધકો સામેલ થયા હતા, જેમાં પાંચ વર્ષ કે તેથી વધુ ઉંમરના 220 મિલિયનથી વધુ લોકોના વજન અને ઊંચાઈનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
એવો અંદાજ છે કે આગામી 25 વર્ષમાં ભારતની વસ્તી 167 કરોડ હશે, જેમાંથી 55 કરોડ લોકો મેદસ્વી હશે અને તેમને હૃદયરોગનો હુમલો આવવાનું જોખમ રહેશે.




















