ફળ આપણા સ્વાસ્થ્ય માટે ફળદાયી છે. પરંતુ હવે એ જ ફળો રોગ અને મૃત્યુનું કારણ બની રહ્યા છે. તાજેતરના અહેવાલો અને નિષ્ણાતોની ચેતવણીઓ અનુસાર, બજારોમાં વેચાતા કેરી, કેળા, સફરજન જેવા ફળોમાં ખતરનાક રસાયણો ભેળવવામાં આવી રહ્યા છે.
વાસ્તવમાં બજારમાં વેચાતા ફળોને ઝડપથી પકવવા અને તાત્કાલિક બજારમાં ઉતારવા માટે કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરીને તેને પકવવામાં આવી રહ્યા છે. આનાથી ફળ થોડા જ કલાકોમાં પાકે છે અને મીઠા બની જાય છે.
કેલ્શિયમ કાર્બાઈડ વાસ્તવમાં ધીમું ઝેર છે જે ફળને ઝડપથી પાકાવે છે પરંતુ જ્યારે તે માનવ શરીરમાં પ્રવેશે છે ત્યારે તે ધીમે ધીમે અંગોને નુકસાન પહોંચાડે છે અને કેન્સરનું કારણ પણ બને છે.
તેમાં રહેલ આર્સેનિક અને ફોસ્ફાઈન ગેસ શરીરમાં પ્રવેશી શકે છે અને સેલ મ્યુટેશનનું કારણ બને છે, જે કેન્સરનું જોખમ વધારે છે, ખાસ કરીને ફેફસાં અને આંતરડાના કેન્સરનું જોખમ વધારે છે.
ફળોને પકવવા માટે કેલ્શિયમ કાર્બાઈડનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવે છે, જે ભારતમાં પ્રતિબંધિત છે, પરંતુ તેમ છતાં તેનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે.
આ રસાયણ સીધું શરીરમાં પ્રવેશે છે અને ફેફસાં, કિડની અને લીવરને નુકસાન પહોંચાડે છે. તમે જે ફળોને મીઠા અને તાજા સમજીને ખાઓ છો તે ખરેખર તમારા મૃત્યુનું કારણ બની શકે છે.
તેનાથી બચવાનો ઘરેલું ઉપાય એ છે કે હુંફાળા પાણીમાં થોડું મીઠું નાખીને તેમાં ફળોને 15થી 20 મિનિટ માટે રહેવા દો. તેનાથી ફળો પર લાગેલા ખતરનાક રસાયણો અને રંગ બંને દૂર થઈ જશે.




















