Health care: સવારમાં ઊઠ્યા પછી હુંફાળા પાણીમાં લીંબુ નીચોવીને પીવું આજકાલ ટ્રેન્ડમાં છે. લોકો લીંબુ પાણીને હેલ્ધી, ડિટોક્સ અને ઇમ્યુનિટી બુસ્ટર માને છે. લીંબુની ખટાશ તમને તાજગી આપે છે. આ સાથે વજન ઉતારવામાં મદદરૂપ બને છે. આ માટે અનેક લોકો સવારમાં ઊઠ્યા પછી લીંબુ પાણી પીતા હોય છે.
લીંબુ પાણી પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધારે છે અને શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે. આ સિવાય સ્કિનને પણ ચમકદાર બનાવવામાં મદદ કરે છે. આ પાણી પીવાથી મેટાબોલિઝમ સિસ્ટમ તેજ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, આ હેલ્ધી ડ્રિંક દરેક લોકો માટે ફાયદાકારક નથી હોતું? કેટલાક લોકોને લીંબુ પાણી પીવાથી પેટમાં બળતરા, એસિડિટી તેમજ દાંતને લગતી તકલીફ થઈ શકે છે. ખાસ કરીને એ લોકોએ સાવધાન રહેવું જોઈએ જેમને ગેસ્ટ્રિક અને અલ્સરની તકલીફ છે. આ લોકોએ સીમિત માત્રામાં લીંબુ પાણી પીવું જોઈએ. હુંફાળા પાણીમાં મિક્સ કરીને પીવું જોઈએ.
જાણો લીંબુ પાણી પીવાથી હેલ્થને થતા ફાયદા અને નુકસાન
સામાન્ય રીતે લોકોને પાણી પીવું બોરિંગ લાગતું હોય છે, પરંતુ આમાં લીંબુ મિક્સ કરવાથી સ્વાદ સારો લાગે છે. તમે વધારે પાણી પીઓ છો તો શરીર હાઇડ્રેટ રહે છે.
લીંબુમાં વિટામીન સી હોય છે જે ઇમ્યુનિટી વધારે છે.
લીંબુની સામાન્ય ખટાશ પેટને લગતી તકલીફો દૂર કરી શકે છે. આ કારણે ડાયજેશન સિસ્ટમ સારી થાય છે.
આ લોકોએ લીંબુ પાણી ન પીવું જોઈએ
લીંબુ પાણી દરેક લોકો માટે સુરક્ષિત નથી. આ એસિડિટીનું કારણ પણ બની શકે છે.
તમને એસિડ રિફ્લેક્સ, ગેસ્ટ્રાઇટિસ, અલ્સર તેમજ સેન્સેટિવ પેટ છે તો તમારા માટે લીંબુ પાણી નુકસાનકારક બની શકે છે. ખાલી પેટે પીવાથી બળતરા, બ્લોટિંગ તેમજ એસિડ રિફ્લેક્સ વધી શકે છે.
લીંબુ પાણી પીવાથી ધીરે ધીરે એસિડ તમારા દાંતના એનેમલને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે સેન્સેટિવિટી અને કેવિટીનું જોખમ થઈ શકે છે.
વધારે લીંબુ પાણી પીવાથી અલ્સરની સમસ્યા થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)





















