રાજ્ય માલિકીની હેલિકોપ્ટર સેવા કંપની, પવન હંસનું એક હેલિકોપ્ટર આંદામાન પ્રદેશ ઉપર ઉડતી વખતે ટેકનિકલ સમસ્યાઓના કારણે દરિયામાં ઇમરજન્સી ક્રેશ લેન્ડિંગ કરાવ્યું. આ ઘટના આંદામાન સમુદ્રમાં બની હતી, જ્યાં પાયલોટે હાજરી દર્શાવીને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે પાણીમાં ઉતાર્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. ઘટનાની માહિતી મળતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ પવન હંસ હેલિકોપ્ટર પોર્ટ બ્લેરથી માયાબંદર જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ સમસ્યા સર્જાઈ, જેના કારણે પાયલટે આંદામાન સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.
હેલિકોપ્ટરમાં કુલ 7 લોકો સવાર હતા.
હેલિકોપ્ટરમાં બે ક્રૂ મેમ્બર અને પાંચ મુસાફરો હતા. બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેઓ સારી સ્થિતિમાં હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પવન હંસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આજે સવારે લગભગ 9:30 વાગ્યે, પવન હંસ હેલિકોપ્ટરને માયાબંદર નજીક શોર્ટ લેન્ડિંગની ઘટનાનો સામનો કરવો પડ્યો. હેલિકોપ્ટર પોર્ટ બ્લેરથી ઉડાન ભરી રહ્યું હતું અને તેમાં બે ક્રૂ સભ્યો અને પાંચ મુસાફરો હતા. બધાને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ સુરક્ષિત છે. કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી."




















