ગામડાના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે રાજ્ય સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારોને પોતાનું પાકું ઘર પ્રદાન કરવા છેલ્લા 3 વર્ષમાં 2 લાખ 52 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરેલ છે. તેમજ આગામી વર્ષમાં આશરે 1 લાખ 60 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે.
“ગુજરાત સ્વચ્છ ગામ”, “સ્વસ્થ ગામ યોજના”, “મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન” તથા “નિર્મળ ગુજરાત 2.0”ને એકીકૃત કરીને “મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના” હેઠળ ₹650 કરોડની જોગવાઇ.
સક્ષમ ગ્રામ સમૃદ્ધ ગ્રામ હેઠળ ₹267 કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ ₹100 કરોડની જોગવાઇ.
ગ્રામ્ય કક્ષાએ બહુઉદ્દેશીય સામાજિક માળખુ ઊભુ કરવા “અટલવાડી” યોજના હેઠળ ₹60 કરોડની જોગવાઇ.
પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ ₹50 કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ ₹1755 કરોડની જોગવાઇ.
વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ)
(VB-G RAM G) અંતર્ગત કુલ ₹1500 કરોડનું આયોજન.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ 2.0 હેઠળ ₹122 કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કેટેગરી-એ માં સમાવિષ્ટ લાભાર્થીઓ માટે રાજ્ય સરકારના ફાળામાંથી(ટોપ-અપ) ₹90 કરોડની જોગવાઇ.
400 ગામોનું ગ્રે-વોટર સીધેસીધુ તળાવોમાં ભળી જતું અટકાવવા પ્રવાહી કચરાની ટ્રીટમેન્ટ માટે ₹50 કરોડની જોગવાઇ.
મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્યાજ સહાય અને પ્રોત્સાહન પુરું પાડવા ₹47 કરોડની જોગવાઇ.
સ્વ-સહાય જૂથની મહિલાઓની આજીવિકામાં વધારો થાય અને સીધું માર્કેટ પ્લેટફોર્મ મળી રહે તે માટે ₹25 કરોડની જોગવાઇ.
સ્વ-સહાય જૂથની બહેનોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે કાયમી સ્થળ મળી રહે તે માટે "ગ્રામ હાટ" સ્થાપવા માટે ₹20 કરોડની જોગવાઇ.
સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ સામૂહિક શૌચાલયની સહાયમાં ₹2 લાખનો વધારો કરવા ₹10 કરોડની જોગવાઇ.




















