ગુજરાતના રાજકારણમાં આગામી 36 કલાક અતિમહત્વના રહેવાના છે. વિશ્વસનીય સૂત્રો અનુસાર, દિવાળી પહેલાં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાના છે. શુક્રવારે બપોરે 12:39 કલાકે ગાંધીનગર ખાતે નવા મંત્રીઓની શપથ ગ્રહણવિધિ યોજાશે.
પાર્ટી અને વિધાનસભા દંડક ઓફિસ દ્વારા તમામ ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવારે ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આવતીકાલે વર્તમાન મંત્રીમંડળના સભ્યો પોતાના પદ પરથી રાજીનામું આપશે, ત્યારબાદ નવા મંત્રીમંડળની રચના થશે.
વર્તમાન મંત્રીમંડળમાં કુલ 17 સભ્યો છે, જ્યારે નવું મંત્રીમંડળ વધુ વિશાળ, આશરે 20 થી 21 સભ્યોનું હોઈ શકે છે. નવું મંત્રીમંડળ યુવા અને વિવિધ સમાજના પ્રતિનિધિ ચહેરાઓને સ્થાન આપશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વર્તમાન મંત્રીમંડળમાંથી પદ પર યથાવત રહેવાની શક્યતા
ભાજપ હાઈકમાન્ડ માટે ગુજરાતના પ્રધાનમંડળમાં સૌથી વિશ્વનીય ચહેરાઓઃ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
હર્ષ સંઘવી
બળવંતસિંહ રાજપૂત
ઋષિકેશ પટેલ
નવા મંત્રી તરીકે શપથ લેવાની શક્યતા ધરાવતા ચહેરાઓઃ
જયેશ રાદડિયા (કેબિનેટ)
અર્જુન મોઢવાડીયા (કેબિનેટ)
જીતુ વાઘાણી (કેબિનેટ)
રિવાબા જાડેજા (કેબિનેટ)
શંકર ચૌધરી (કેબિનેટ)
ઉદય કાનગડ
અમિત શાહ
હીરા સોલંકી
મનીષા વકીલ
સંગીતા પાટીલ
પાયલ કુકરાણી
નરેશ પટેલ
જયરામ ગામીત
મહેશ કસવાલા
અલ્પેશ ઠાકોર
કેયૂર રોકડિયા
વર્તમાન મંત્રીમંડળનો સંક્ષિપ્ત પરિચય
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા વિધાનસભાથી ધારાસભ્ય છે. હાલમાં મંત્રીમંડળમાં 17 સભ્યો છે, જેમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે.
આગામી ફેરફાર પછી માત્ર 5 થી 6 મંત્રીઓ જ હાલના પદ પર યથાવત રહેશે, જ્યારે બાકી બધા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.
રાજકારણના નિષ્ણાતોના મત પ્રમાણે આ ફેરફાર દ્વારા ભાજપ સંગઠન દિવાળી પહેલાં તાજગી લાવવા ઈચ્છે છે. યુવા નેતાઓ અને વિવિધ સમાજના પ્રતિનિધિઓને સાથે લઈને આગામી વર્ષ માટે નવી રાજકીય રણનીતિ ગોઠવવાની તૈયારી ચાલી રહી છે.






