Geeta Patnaik: ઓડિશાના સંગીત અને સંસ્કૃતિ જગતમાં એક યુગનો અંત આવ્યો છે. લોકપ્રિય ઓડિયા પ્લેબેક ગાયિકા ગીતા પટનાયકનું રવિવારે સાંજે કટકની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 73 વર્ષની હતા. તેમના મૃત્યુનું કારણ બ્રેઈન સ્ટ્રોક (મગજનો હુમલો) હતું. ગીતા પટનાયક 12 ફેબ્રુઆરી, 2026 ભુવનેશ્વરમાં એક સાહિત્યિક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે અચાનક તબિયત બગડી ગઈ હતી. તેમને તાત્કાલિક કેપિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પરીક્ષણોમાં બ્રેઈન સ્ટ્રોકની પુષ્ટિ થઈ. ત્યારબાદ તેમને કટકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. રવિવારે સાંજે ડોક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા બાદ તેમનું અવસાન થયું.
પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દી દરમિયાન ગીતા પટનાયકે ઓડિયા સંગીતને અનેક અમર ગીતો આપ્યા. તેઓ ખાસ કરીને પ્રખ્યાત ગાયક અક્ષય મોહંતી સાથેના દ્વૈત ગીતો માટે જાણીતા હતા. તેમના લોકપ્રિય ગીતોમાં "ફર કિના ઉડીગલા બાની" (ફિલ્મ જજાબારમાંથી) જેવા ક્લાસિક્સ સામેલ છે, જે આજે પણ લોકોના હૃદયમાં વસે છે.
ઓડિશાના સંગીત અને સંસ્કૃતિ માટે અપૂર્ણ નુકસાન
આ દુઃખદ ઘટના પર ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક સહિત અનેક નેતાઓએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, "ગીતા પટનાયકનું નિધન ઓડિશાના સંગીત અને સંસ્કૃતિ માટે અપૂર્ણ નુકસાન છે." નવીન પટનાયકે તેમના સુરીલા અવાજને યાદ કરતાં કહ્યું કે, "તેમના ગીતો હંમેશા યાદ રહેશે."ગીતા પટનાયકના પાર્થિવ દેહને કટકમાં તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ઓડિયા સંગીત પ્રેમીઓ માટે આ એક અમર અવાજની વિદાય છે.




















