These legendary players will no longer be seen on the cricket field: વર્ષ 2025 પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે ક્રિકેટ જગત માટે આ વર્ષ ભાવુક ક્ષણોથી ભરેલું રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એ વિશ્વ ક્રિકેટને અનેક સ્ટાર ખેલાડીઓ આપ્યા છે, જેમાંથી કેટલાક એવા ખેલાડીઓ હતા, જે લીગની શરૂઆત એટલે કે, 2008 થી રમતા જોવા મળતા હતા. જોકે, આ વર્ષે ફેન્સને તેમના મનપસંદ ખેલાડીઓની યાદ આવશે. અમિત મિશ્રા, રિદ્ધિમાન સાહા અને પિયુષ ચાવલા જેવા દિગ્ગજોએ નિવૃત્તિ જાહેર કરીને એક સુવર્ણ યુગનો અંત કર્યો. જાણો આ ખેલાડીઓની સફર અને IPL માં તેમના પર્ફોમન્સ વિશે.
અમિત મિશ્રા: હેટ્રિકના કિંગની શાનદાર સફરનો અંત
ભારતના અનુભવી લેગ-સ્પિનર અમિત મિશ્રાએ સપ્ટેમ્બર 2025 માં ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા. અમિત મિશ્રાએ IPL ઈતિહાસનો એકમાત્ર એવો બોલર છે, જેમણે 3 વખત હેટ્રિક લેવાની સિદ્ધિ હાંસલ કરી છે, જે રેકોર્ડ તોડવો કોઈપણ બોલર માટે મોટો અશક્ય રહેશે. તેમણે Delhi Capitals, Sunrisers Hyderabad and Lucknow Super Giants જેવી ચાર અલગ-અલગ ટીમો માટે કુલ 162 મેચો રમી હતી, જેમાં તેમણે 174 વિકેટ ઝડપીને પોતાની ફિરકીનો જાદુ બતાવ્યો હતો.
પિયુષ ચાવલા: વિકેટ લેવાની મશીને ક્રિકેટને કહ્યું 'અલવિદા'
વર્ષ 2011 માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહેલા પિયુષ ચાવલાએ જૂન 2025 માં નિવૃત્તિની જાહેરાત કરી હતી. ચાવલાએ પોતાની ગુગલીથી મોટા-મોટા બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા. નિવૃત્તિના સમયે તેઓ IPL માં સંયુક્ત રીતે ત્રીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે બિરાજમાન હતા. તેમણે Mumbai Indians, Kolkata Knight Riders and Chennai Super Kings જેવી ટીમોમાંથી રમતા તેમણે 192 મેચમાં 192 વિકેટ ઝડપી છે. તેમની આ સફર આગામી જનરેશનના સ્પિનરો માટે પ્રેરણારૂપ રહેશે.
શિખર ધવન અને દિનેશ કાર્તિક: મેદાન પર જોવા મળી ખોટ
જોકે શિખર ધવન અને દિનેશ કાર્તિકે 2024 ના અંતમાં નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ 2025 ની IPL સીઝન આ બંને દિગ્ગજો વગરની પહેલી સીઝન હતી. શિખર ધવન 6,769 રન સાથે IPL ના ઈતિહાસમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યા છે. બીજી તરફ, દિનેશ કાર્તિકે 2008 થી 2024 સુધીની દરેક સીઝન રમી હતી અને 4,842 રન બનાવ્યા હતા. 2025 માં કાર્તિક RCB ના બેટિંગ કોચ અને મેન્ટર તરીકે નવી ભૂમિકામાં જોવા મળ્યા હતા, પરંતુ ફેન્સે તેમને મેદાન પર ફિનિશર તરીકે મિસ કર્યા હતા.
રિદ્ધિમાન સાહા
ભારતના શ્રેષ્ઠ વિકેટકીપરોમાંના એક એવા રિદ્ધિમાન સાહાએ ફેબ્રુઆરી 2025 માં ઓફિશિયલ રીતે નિવૃત્તિ જાહેર કરી હતી. સાહાએ વર્ષ 2022 માં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવવામાં ઓપનિંગ બેટ્સમેન તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સ્ફૂર્તિ અને ટેકનિકલ બેટિંગ હંમેશા વખાણવા લાયક રહી છે. પાંચ અલગ-અલગ ફ્રેન્ચાઈઝી તરફથી રમતા સાહાએ 170 મેચોમાં 2,934 રન બનાવ્યા હતા. તેમની વિદાયથી IPL માં એક નિષ્ણાત વિકેટકીપર-બેટ્સમેનની જગ્યા ખાલી પડી છે.
કૃષ્ણપ્પા ગૌતમ: અનકેપ્ડ પ્લેયરની વિદાય
ડિસેમ્બર 2025 માં ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમે પણ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી. કૃષ્ણપ્પા ગૌતમ પોતાની આક્રમક બેટિંગ અને ઓફ-સ્પિન બોલિંગ માટે જાણીતા હતા. વર્ષ 2021 માં જ્યારે Chennai Super Kings એ તેમને 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યા, ત્યારે તેઓ IPL ઈતિહાસના સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બન્યા હતા. ડોમેસ્ટિક ક્રિકેટ અને IPL માં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.





















