Champions Trophy 2025 Final:ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ માટે ટિકિટ બુક કરાવી લીધી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ સતત ત્રીજી વખત ટાઇટલ મેચ રમશે. જોકે ફાઇનલ મેચ પહેલા દરેક ક્રિકેટ ચાહકના મનમાં કેટલાક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દુબઈમાં વરસાદની શક્યતા ઓછી છે,પરંતુ જો ટાઇટલ મેચ દરમિયાન ઇન્દ્ર દેવનો મૂડ ખરાબ થઈ જાય તો શું થશે?
ICC ના નિયમો અનુસાર જો ફાઇનલ મેચમાં વરસાદ ખલનાયક બનશે, તો ઓવરો ઘટાડવામાં આવશે. પરંતુ કોઈ પણ સંજોગોમાં 20 ઓવરની મેચ રમાશે. હવે જો ભારે વરસાદને કારણે 9 માર્ચે મેચ ન રમી શકાય,તો રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છેઆનો અર્થ એ થયો કે ટાઇટલ મેચ પણ 10 માર્ચે પૂર્ણ થઈ શકે છે. જો ફાઇનલ મેચ ટાઇ થાય છે, તો સુપર ઓવરની મદદથી મેચનું પરિણામ નક્કી કરવામાં આવશે.
A clinical performance by India as they become the first team to reach3️⃣consecutive #ChampionsTrophy finals 🤩#INDvAUS pic.twitter.com/m18KpULOkQ
— ICC (@ICC) March 4, 2025
હવે જો સુપર ઓવર પણ ટાઈ રહે છે, તો બંને ટીમોએ ફરીથી સુપર ઓવર રમવી પડશે. આનો અર્થ એ થયો કે આ વખતે ટીમે વધુ બાઉન્ડ્રી ફટકારીને જીતવાનો નિયમ નાબૂદ કરવામાં આવ્યો છે. ભગવાન ના કર પણ જો મેચ 9 અને 10 માર્ચ બંને દિવસે પૂર્ણ ન થાય, તો ટ્રોફી બંને ટીમો વચ્ચે વહેંચવામાં આવશે.





















