Home Gujarat Dycm Harsh Sanghvi Gave Information About The Organization Of Bhavnath Mahashivratri Fair

'દેશભરના સંતોને આમંત્રણ આપવામાં આવશે' : ભવનાથ મહાશિવરાત્રી મેળાના આયોજન અંગે DyCM હર્ષ સંઘવીએ આપી માહિતી

'દેશભરના સંતોને આમંત્રણ આપવામાં આવશે'
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 30, 2026, 09:13 AM IST

ભવનાથ મહાશિવરાત્રી મેળાના આયોજનને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં સંતોના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન તથા સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને પ્રાચીન ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક વર્ષોથી ભવનાથ મહાદેવના દર્શન માટે દેશભરમાંથી લાખો ભક્તો અહીં આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

2900 પોલીસ કર્મચારીઓ તૈનાથ રહેશે!

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યોજાયેલી બેઠકમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે કેવી રીતે વધુ સારી અને સુવ્યવસ્થિત વ્યવસ્થા થઈ શકે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ વર્ષે રવેડી વિસ્તારમાંથી દર્શન રૂટમાં 500 મીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ભીડનું યોગ્ય સંચાલન થઈ શકે. સરકાર દ્વારા મેળા માટે વધારાની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દર વર્ષે અંદાજે 1600 પોલીસ કર્મચારીઓ તૈનાત રહે છે, જ્યારે આ વર્ષે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 2900 પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. સાથે જ 1000થી વધુ વોલન્ટિયર્સ પણ સેવા માટે હાજર રહેશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે આશરે 300 જેટલા ઉતારાઓમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને પીવાના પાણી માટે નવી પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

'દેશભરના સંતોને આ મહાશિવરાત્રી મેળામાં આમંત્રણ આપવામાં આવશે'

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ વર્ષે 11મી તારીખે સાંજે તમામ સંતોના સાન્નિધ્યમાં ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ સંતોનું સ્વાગત કરવામાં આવશે અને તેઓ પોતે તથા તેમના સાથીઓ આ સ્વાગત કાર્યક્રમ અને નગરયાત્રામાં હાજર રહેશે તેમ તેમણે જણાવ્યું. સાથે જ દેશભરના સંતોને આ મહાશિવરાત્રી મેળામાં આમંત્રણ આપવામાં આવશે. અંતમાં નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને આ પ્રાચીન અને ઐતિહાસિક ભવનાથ મહાશિવરાત્રી મેળામાં પધારવા હાર્દિક આમંત્રણ આપ્યું હતું. મહાશિવરાત્રીના ભવનાથ મેળાના ભવ્ય આયોજન માટે સંતોના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન તથા સરકારના વિવિધ વિભાગો વચ્ચે સુમેળભર્યું સંકલન કરવામાં આવ્યું છે. આ સંકલનના પરિણામે દેશના સૌથી મોટા અને પ્રાચીન ધાર્મિક મેળાઓમાંના એક એવા ભવનાથ મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અનેક વર્ષોથી ભવનાથ મહાદેવના દર્શન માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે વધુ સઘન અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.

સંઘવીએ કહ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર 1,000 થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. ૩૦૦ થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ બેઠકમાં મહાશિવરાત્રી મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ગીતનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ નિમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ: સ્પેસ સેક્ટરમાં રાજ્યએ રચ્યો નવો ઈતિહાસ

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!: વડોદરાના સુંદરપુરાના ઓર્નેટ વિલામાં યુવકની કરપીણ હત્યા

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ: સાકોદરા ગામેથી ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!: જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ: દાંતીવાડા અને સીપુ ડેમને જોડતી ₹119 કરોડની યોજના મંજૂર!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ

ભાવિ ડોક્ટરનો કરુણ અંત: રાજકોટ AIIMS ના વિદ્યાર્થીએ પરપીપડીયા પાસે ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

ભાવિ ડોક્ટરનો કરુણ અંત

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન: “ગાંધીના હત્યારાનું મહિમામંડન શરમજનક” વિપક્ષનો આકરો પ્રહાર

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ: ગુનાખોરી સામે પોલીસને સખત કાર્યવાહી કરવા સૂચના

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા: રાત્રે પેડલ રિક્ષામાં રેકી કરી બંધ મકાનોમાં કરતા હતા ચોરી!

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો: 20થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત, SOG ટીમની મોટી કાર્યવાહી

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક: જીગ્નેશ મેવાણીએ ઉઠાવ્યા ગંભીર સવાલો, મંત્રી મનીષા વકીલનો જવાબ ઘેરાયા ધારાસભ્ય

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ: અર્જુન મોઢવાડિયાએ જાહેર કરી ₹1534 કરોડની મેગા યોજના!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ
Play Video

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર?: ગિરનાર નોનવેજ-દારૂ પાર્ટી કેસમાં સગીરના આક્ષેપોથી ખળભળાટ

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર?

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર: 7 વર્ષ પછી ડભોઈ–કરજણ રેલવે લાઇન ફરી શરૂ, 15 માર્ચથી ડેમુ ટ્રેન દોડશે

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: 394 સંસ્થાઓમાં મતદાન, 26 માર્ચ આસપાસ કાર્યક્રમ જાહેર થવાની શક્યતા

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી

વડોદરાના બરાનપુરામાં ઘરકંકાસનો ભયાનક અંજામ: પતિએ પત્નીનું ગળું દબાવીને ચપ્પુના ઘા ઝીંકી કરી નિર્મમ હત્યા, નાના બાળકના માથેથી છીનવાઈ ગઈ માતાની છત્રછાયા

વડોદરાના બરાનપુરામાં ઘરકંકાસનો ભયાનક અંજામ

અમેરિકામાં ગ્રીન કાર્ડનો 'શોર્ટકટ' ભારે પડ્યો: નકલી લૂંટનું નાટક રચવાના આરોપમાં 11 ગુજરાતીઓની ધરપકડ

અમેરિકામાં ગ્રીન કાર્ડનો 'શોર્ટકટ' ભારે પડ્યો

કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો!: ઘરે પરત ફરી ગુજરાતી લોકગાયિકા

કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો!
Play Video

ઝાલોદમાં પૂજારીની હત્યાથી ચકચાર: માછણ નદી કિનારે ઝાડીઓમાંથી લાશ મળી

ઝાલોદમાં પૂજારીની હત્યાથી ચકચાર

અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આફત!: ગુજરાતમાં 18-19 માર્ચે વરસાદની આગાહી, 16 જિલ્લાઓમાં અસર, ખેડૂતોની ચિંતા વધી!

અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આફત!