અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે દક્ષિણ કોરિયામાં તેમના એશિયા પ્રવાસના અંતિમ તબક્કા દરમિયાન જાહેરાત કરી હતી કે અમેરિકા અને ભારત ટૂંક સમયમાં લાંબા સમયથી અટકેલો વેપાર કરાર કરશે.
મહિનાઓથી ચાલી રહી છે વાટાઘાટો
આ કરાર માટેની વાટાઘાટો છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહી છે.
ચર્ચામાં રશિયા-યુક્રેન યુદ્ધ, ટેરિફ પરના વિવાદો અને ભારત દ્વારા રશિયન તેલની ખરીદી જેવા મુદ્દાઓ સામેલ છે.
ભારત દ્વારા અમેરિકાને તેના ડેરી અને કૃષિ ઉત્પાદનોના બજારમાં પ્રવેશ ન આપવાના કારણે વાટાઘાટો અટકેલી હતી.
હાલમાં, અહેવાલો મુજબ, જો ભારત રશિયન તેલની ખરીદી ઘટાડવા તૈયાર થાય, તો અમેરિકા તેના ટેરિફને 16 ટકા સુધી ઘટાડવા સંમત થયું છે.
ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી
દક્ષિણ કોરિયામાં પત્રકારોને સંબોધિત કરતાં ટ્રમ્પે જણાવ્યું
“હું ભારત સાથે વેપાર કરાર પૂર્ણ કરી રહ્યો છું. મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ઊંડો આદર અને પ્રેમ છે.
અમારા સંબંધો અત્યંત સારા છે. મોદી ખૂબ જ કઠોર, પરંતુ પ્રેરણાદાયક નેતા છે.
તેઓ ખૂબ જ સુંદર રીતે પોતાનું કામ કરે છે.”
પાકિસ્તાનનો પણ કર્યો ઉલ્લેખ
ટ્રમ્પે પોતાના નિવેદનમાં પાકિસ્તાનના વડા પ્રધાન અને સેનાપતિ અસીમ મુનીરનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન તેમણે બંને દેશોને યુદ્ધવિરામ માટે દબાણ કર્યું હતું.
ટ્રમ્પે એ પણ જણાવ્યું કે બંને દેશો હવે પરમાણુ શક્તિ તરીકે ઊભા થયા છે, તેથી શાંતિ જાળવવી અતિ જરૂરી છે.




















