Don 3 controversy: બોલિવૂડની મોટી ફિલ્મ 'Don 3' હવે વિવાદના કેન્દ્રમાં છે. અભિનેતા રણવીર સિંહએ ફિલ્મ છોડી દીધા બાદ ફરહાન અખ્તરની પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઈનમેન્ટએ પ્રી-પ્રોડક્શનમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે રણવીર પાસેથી ₹40 કરોડનું વળતર માંગ્યું છે. રણવીર સિંહે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ કોઈ રકમ ચૂકવશે નહીં, કારણ કે તેઓ આ નુકસાન માટે જવાબદાર નથી.
પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા
તેઓએ ગુડવિલ તરીકે કેટલીક રકમ આપવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ તેને સ્વીકારી નહીં. આ મામલે પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. આમિર ખાનના ઘરે બેઠક પણ યોજાઈ હતી, જેમાં કરણ જોહર, સાજિદ નડિયાદવાલા, એકતા કપૂર, ઝોયા અખ્તર જેવા મોટા નિર્માતાઓ હાજર રહ્યા હતા. બંને પક્ષોએ પોતાની દલીલો રજૂ કરી, પરંતુ કોઈ સમજૂતી થઈ નહીં. બંને પક્ષ અડગ રહ્યા છે.
આ વિવાદને કારણે 'Don 3' નું ભવિષ્ય અનિશ્ચિત
હવે ગિલ્ડે બંનેને કાનૂની માર્ગ અપનાવવાની સલાહ આપી છે. એક સૂત્રે કહ્યું કે, "ગિલ્ડ માત્ર અમુક હદ સુધી જ હસ્તક્ષેપ કરી શકે છે. જ્યારે બંને પક્ષ અડગ છે, તો તેમને તેમની કાનૂની ટીમોને સામેલ કરીને યોગ્ય કાનૂની રીતે મામલો ઉકેલવાની સલાહ આપવામાં આવી છે."આ વિવાદને કારણે 'Don 3' નું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે. રણવીર સિંહ હાલમાં તેમની આગામી ફિલ્મ ધુરંધર 2 પર ફોકસ કરી રહ્યા છે, જે 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થશે (ગુડી પડવા/ઈદ સાથે ક્લેશમાં). શું આ મામલો કોર્ટ સુધી પહોંચશે? હાલના રિપોર્ટ્સ અનુસાર, કાનૂની લડાઈ ટાળવી મુશ્કેલ લાગી રહી છે!




















