Home Gujarat Ahmedabad Disha Vakani Father Bhim Vakani Passes Away

Taarak Mehta Ka Ooltah Chashmah ના દિગ્ગજ કલાકારના પિતાનું નિધન : થોડા સમયથી બીમાર પીઢ અભિનેતા, ફિલ્મજગતમાં ફરી વળ્યું 'શોકનું મોજું'!

tmkoc ના પાત્રો દર્શાવતું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Apr 07, 2026, 06:31 AM IST

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અને જાણીતા અભિનેતા ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન થતાં કલાજગતમાં શોકની લાગણી પ્રસરી છે. તેઓ લોકપ્રિય ટીવી સિરિયલ Taarak Mehta Ka Ooltah Chashmah માં ‘દયાબેન’ તરીકે પ્રસિદ્ધ થયેલી Disha Vakani અને ‘સુંદરલાલ’ના પાત્રથી ઓળખાતા Mayur Vakani ના પિતા હતા. તેમના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ

મળતી માહિતી મુજબ, ભીમ વાકાણીએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. પરિવાર અને ચાહકોમાં શોકનો માહોલ છે. મયુર વાકાણીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે 7 એપ્રિલ, 2026ના રોજ સવારે તેમના પિતાનું અવસાન થયું હતું.
Gujarati Actress Disha Vanaki Father Bhim Vakani passes awayનવી પેઢીને પ્રેરણા

ભીમ વાકાણી ગુજરાતી રંગભૂમિના જાણીતા નામ હતા. તેમણે અનેક નાટકો દ્વારા કળાને નવી ઊંચાઈ આપી હતી અને નવી પેઢીને પ્રેરણા આપી હતી. તેઓએ પોતાની દીકરી દિશા વાકાણીને પણ નાનપણથી જ અભિનયની તાલીમ આપી હતી, જેના પરિણામે આજે તેઓ ટીવી જગતમાં એક મોટું નામ બન્યાં છે.

આ પણ વાંચો: 'ભૂત બંગલા ટ્રેલર' - અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી ફરી મચાવશે ધમાલ : 14 વર્ષ પછી અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીનો હોરર-કોમેડી અંદાજ.

ફિલ્મી જગતમાં પણ ભીમ વાકાણીનું નોંધપાત્ર યોગદાન

ફિલ્મી જગતમાં પણ ભીમ વાકાણીનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેમણે Lagaan ફિલ્મમાં ‘કાઝી’નું પાત્ર ભજવ્યું હતું, જ્યારે Swades માં ‘પંચ નારાયણ’ તરીકે દેખાયા હતા. ઉપરાંત, Taarak Mehta Ka Ooltah Chashmah માં પણ માવજી છેડા તરીકે તેમની નાનકડી પણ યાદગાર ભૂમિકા રહી હતી.

તેમના કલા ક્ષેત્રેના અમૂલ્ય યોગદાન બદલ તેમને ગુજરાત સરકાર તરફથી ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ભીમ વાકાણીના નિધનથી ગુજરાતી નાટ્યજગતમાં એક ખાલીપો ઊભો થયો છે, જેને પૂરવું મુશ્કેલ બનશે.



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now