Holi tips: રંગો, આનંદ અને ઉત્સાહનો તહેવાર છે, પરંતુ તહેવાર પછી ઘણા લોકોને આંખોમાં બળતરા, લાલાશ, પાણી વહેવું કે અસ્વસ્થતા અનુભવાય છે. કૃત્રિમ રંગોમાં રહેલા રસાયણો, ધૂળ અને પાણીના સંપર્કથી આંખોની નાજુક સપાટી પર અસર થાય છે. મોટા ભાગની સમસ્યાઓ રંગોને કારણે નહીં, પરંતુ પછી કરેલી ભૂલોને કારણે વધુ થાય છે.
હોળી પછી આંખોની કાળજી લેવા માટે કઈ ભૂલો ટાળવી?
આંખો જોરથી ઘસવાનું બિલકુલ ટાળો
રંગના સૂક્ષ્મ કણો આંખની અંદર ઊંડે સુધી જઈ શકે છે, જેનાથી કોર્નિયામાં ખંજવાળ કે ચેપનું જોખમ વધે છે.
ઘરેલું ઉપચારો (જેમ કે ગુલાબજળ, દૂધ વગેરે) ન કરો
આવા અપ્રમાણિત ઉપાયો ચેપ કે એલર્જી વધારી શકે છે. આંખો અત્યંત સંવેદનશીલ હોય છે, તેથી આવા પ્રયોગો ટાળો.ડોક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક કે સ્ટીરોઈડ ટીપાં ન વાપરો
હળવી બળતરા માટે પ્રિઝર્વેટિવ-મુક્ત લુબ્રિકેટિંગ (કૃત્રિમ આંસુ) ટીપાં જ વાપરો, પરંતુ તે પણ જરૂરી હોય તો જ.
આંખોને સાફ કરવાની સૌથી સલામત રીત
હૂંફાળા કે રૂમ ટેમ્પરેચરના સ્વચ્છ પાણીથી ધોઈ લો
આંખોને હળવા હાથે 10-15 મિનિટ સુધી ધોવો. આંખો ખોલીને બ્લિંક કરતા રહો જેથી બાકીના કણો બહાર આવે. બે-ત્રણ વખત આ પ્રક્રિયા કરો – આ સૌથી અસરકારક અને સુરક્ષિત પદ્ધતિ છે.જો બળતરા ઓછી ન થાય તો તરત આંખના નિષ્ણાત (ઓપ્થલ્મોલોજિસ્ટ) પાસે જાઓ.
હોળી રમતી વખતે નિવારક પગલાં
રક્ષણાત્મક ચશ્મા કે સનગ્લાસ પહેરો.
ચહેરા પર સીધા રંગ છાંટવાનું ટાળો.
નેચરલ, ઓર્ગેનિક કે હર્બલ રંગોનો ઉપયોગ કરો (કેમિકલવાળા ટાળો).
આંખની આસપાસ નાળિયેર તેલ કે પેટ્રોલિયમ જેલી લગાવો – તે રક્ષણાત્મક કવચ બનાવે છે.
આ સરળ ટિપ્સ અપનાવીને તમે હોળીનો આનંદ માણી શકો છો અને આંખોને સુરક્ષિત રાખી શકો છો. જો સમસ્યા ગંભીર લાગે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.




















