વાયુ પ્રદૂષણ (Air Pollution) પર સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કેન્દ્ર સરકારનું વન અને પર્યાવરણ મંત્રાલય એક્શન મોડમાં આવી ગયું છે. મંત્રાલયે દિલ્હી-NCR માં ચાલતા તમામ ઉદ્યોગો માટે 31 ડિસેમ્બર સુધીની ડેડલાઈન જાહેર કરી છે. આ તારીખ સુધીમાં જો ઉદ્યોગો પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન નહીં કરે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને એકમો બંધ (Shutdown) પણ કરી દેવામાં આવશે.
ઉદ્યોગો માટે શું છે નવો આદેશ?
કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલયે સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ ઉદ્યોગોએ 31 ડિસેમ્બર સુધીમાં નીચે મુજબની વ્યવસ્થા કરવી ફરજિયાત છે:
ઓનલાઈન સતત ઉત્સર્જન નિગરાણી પ્રણાલી (Online Continuous Emission Monitoring System) લગાવવી.
વાયુ પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણો ઇન્સ્ટોલ કરવા.
2254 ઉદ્યોગો રડાર પર
વર્તમાન સમયમાં દિલ્હી-NCR માં એવા 2254 ઉદ્યોગો છે જે આ સિસ્ટમથી સજ્જ નથી. એવું માનવામાં આવે છે કે આ ઉદ્યોગો મોટા પાયે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. હવે જો તેઓ સમયમર્યાદામાં સુધારો નહીં કરે તો તેમને તાળાં લાગી શકે છે.
પ્રદૂષણ વધે ત્યારે જ કેમ જાગો છો?
કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવ (Bhupender Yadav)ની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યો અને પાલિકાઓને ટકોર કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના સવાલો બાદ મંત્રાલયે કહ્યું છે કે માત્ર પ્રદૂષણ વધે ત્યારે જ કાર્યવાહી કરવાને બદલે 'વાર્ષિક કાર્યયોજના' (Annual Action Plan) બનાવવામાં આવે.
રાજ્યોને જાન્યુઆરીથી નવેમ્બર સુધી સતત કામ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
62 હોટસ્પોટ પર ટ્રાફિક પોલીસનું મોનિટરિંગ
બેઠકમાં દિલ્હી ટ્રાફિક પોલીસ અને અન્ય એજન્સીઓને પણ નિર્દેશ અપાયા છે:
દિલ્હીના ચિહ્નિત થયેલા 62 હોટસ્પોટ પર સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ અપનાવવું.
અતિક્રમણ અને ગેરકાયદેસર પાર્કિંગ હટાવવું.
રસ્તાના કામો ઝડપથી પૂરા કરવા જેથી ધૂળનું પ્રદૂષણ ઓછું થાય.
ધૂળ અને વાહનોના પ્રદૂષણને રોકવા માટે સાપ્તાહિક અને માસિક રિપોર્ટ તૈયાર કરવો.
આ સિઝનમાં પર્યાવરણ મંત્રી દ્વારા બોલાવવામાં આવેલી આ પાંચમી મોટી બેઠક હતી, જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને યુપીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.





















