રણવીરની સફળતા પર દીપિકાના 'મૌન' પાછળનું શું છે સત્ય? અભિનેત્રીએ કર્યો ખુલાસો
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની લેટેસ્ટ ફિલ્મ 'ધુરંધર 2: ધ રિવેન્જ' (Dhurandhar 2) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 500 કરોડથી વધુના બજેટમાં બની છે અને અત્યાર સુધીમાં 1,025 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. જોકે, આટલી મોટી સફળતા છતાં તેની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ ન મૂકતા ચાહકો અને ટ્રોલ્સ સવાલો ઉઠાવી રહ્યા હતા.
દીપિકાનો સચોટ જવાબ
સોશિયલ મીડિયા પર એક રીલ વાયરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દીપિકા જાણી જોઈને ફિલ્મને નજરઅંદાજ કરી રહી છે. આ ટીકાઓનો અંત લાવતા દીપિકાએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું, "મેં આ ફિલ્મ તમારા બધા કરતા ઘણી વહેલી જોઈ લીધી છે. હવે મજાક કોનો બન્યો?"
શું હતો વિવાદ?
સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે રણવીરની આટલી મોટી જીત પર દીપિકા કેમ શાંત છે? કેટલાક લોકોએ તો તેમના સંબંધોમાં તિરાડ હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. જોકે, દીપિકાએ સ્પષ્ટ કર્યું કે તે સોશિયલ મીડિયા પર દેખાડો કરવાને બદલે અંગત રીતે પોતાના પતિને સાથ આપવામાં માને છે.
ચાહકોનો ટેકો
દીપિકાના આ જવાબ બાદ સોશિયલ મીડિયા પર તેના ચાહકો સમર્થનમાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે દરેક વાત ઇન્સ્ટાગ્રામ પર શેર કરવી જરૂરી નથી. દીપિકા અને રણવીર 2018 માં લગ્નગ્રંથિથી જોડાયા હતા અને સપ્ટેમ્બર 2024 માં તેઓએ તેમની પુત્રી 'દુઆ' નું સ્વાગત કર્યું હતું. હાલમાં દીપિકા તેના માતૃત્વ અને પરિવાર સાથે સમય વિતાવી રહી છે.





