Kailash Kher music concert: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે માં આયોજિત કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરનો સંગીત કોન્સર્ટ ભીડના અનિયંત્રિત વર્તનને કારણે અધવચ્ચે જ બંધ કરવો પડ્યો હતો. દિવસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હતી, પરંતુ સાંજે કૈલાશ ખેરના પ્રદર્શન દરમિયાન ભીડ બેકાબૂ બની ગઈ.
નિયંત્રણમાં ન આવતા તેમણે કોન્સર્ટ અટકાવી દીધો
પ્રેક્ષકોએ બેરિકેડ તોડીને સ્ટેજ તરફ દોટ મારી, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ. ગુસ્સે ભરાયેલા કૈલાશ ખેરે સ્ટેજ પરથી ભીડને અપીલ કરી હતી: "કૃપા કરીને જાનવરો જેવું વર્તન ન કરો, જાનવરગીરી મત કરીએ." તેમણે કલાકારોની સુરક્ષા માટે પોલીસને પણ વિનંતી કરી, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં ન આવતા તેમણે કોન્સર્ટ અટકાવી દીધો અને સ્ટેજ છોડી દીધો. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા છે, કારણ કે તે જ સ્થળે થોડા કલાકો પહેલા વીવીઆઈપી કાર્યક્રમમાં કોઈ અડચણ નહોતી આવી.




















