ભારત-ઇંગ્લેન્ડની વચ્ચેની ટેસ્ટ સીરીઝની અંતિમ મેચ 31 જુલાઈએ Kennington Oval ના મેદાનમાં રમાવાની છે. હાલ ઇંગ્લેન્ડ આ ટેસ્ટ સીરીઝને 2-1થી લીડ કરે છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ અગત્યની મેચ છે કેમ કે, જો આ મેચ ટીમ ઈન્ડિયા જીતશે તો આ સીરીઝને 2-2 થી બરાબર કરવાની તક મળશે. અને જો ઇંગ્લેન્ડની ટીમ જીતશે અથવા મેચ ડ્રૉ થાય તો ઇંગ્લેન્ડ આ ટેસ્ટ સીરીઝ જીતી જશે.
Kennington Ovalના મેદાનમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ્સ:
કુલ ટેસ્ટ મેચો:15
જીત્યા:2
હાર:6
ડ્રૉ:7
સૌથી વધારે સ્કોર: 664 રન ઇંગ્લેન્ડની વિરુદ્ધ
સૌથી નિમ્ન સ્કોર: 94 રન ઇંગ્લેન્ડની વિરુદ્ધ
સૌથી સારું બેટિંગ પ્રદર્શન: સુનિલ ગાવસ્કર-221(1979)
સૌથી સારી બોલિંગ પ્રદર્શન: બી.એસ. ચંદ્રશેખર- 38 રનમાં 6 વિકેટ મેળવી હતી (1971)
આ મેદાન પર ભારતની યાદો:
1936- આ મેદાન પર ભારતની પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાઈ હતી, પણ 9 વિકેટથી હાર મળી.
1971- 35 વર્ષ બાદ અજીત વાડેકરની કપ્તાનીમાં પ્રથમ જીત મળી હતી.
2021- વિરાટ કોહલીની કપ્તાનીમાં 157 રનની યાદગાર જીત મળી હતી.
2023- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાથી હાર મળી હતી.





















