Home National Cockroach Janta Party Jantar Mantar Protest Delhi

જંતર-મંતર પર પ્રદર્શન માટે કોકરોચ જનતા પાર્ટીને મળી મંજૂરી : NEET પેપર લીક વિરુદ્ધ દિલ્હીમાં શાંતિપૂર્ણ આંદોલન

CJP gets approval for the Jantar-Mantar protest
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 06, 2026, 04:26 AM IST

જંતર-મંતર પર પ્રદર્શન માટે કોકરોચ જનતા પાર્ટીને મળી મંજૂરી

દિલ્હી પોલીસે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ પહેલા શનિવારે સવારે સંગઠનના સમર્થકો શાંતિપૂર્ણ પ્રદર્શનની પરવાનગી મેળવવા માટે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા. બીજી તરફ, દિલ્હી હાઈકોર્ટે આ પ્રદર્શન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે, જેના કારણે આ વિરોધ પ્રદર્શનનો રસ્તો સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે.

આ પણ વાંચો: દિલ્હીમાં પ્રદર્શન કરવા પહોંચ્યા અભિજીત દિપકે | શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર CJP નું શાંતિપૂર્ણ આંદોલન | Offbeat Stories

શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ અને સુરક્ષા વ્યવસ્થા

આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે કરી રહ્યા છે. તેઓ અમેરિકાના બોસ્ટનથી શનિવારે સવારે જ નવી દિલ્હી પહોંચ્યા છે. તેમણે દેશમાં NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં થયેલી ગેરરીતિઓનો વિરોધ કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પર તેમણે પોતાના સમર્થકોને પ્રદર્શનમાં રાષ્ટ્રધ્વજ તિરંગો અને પુસ્તકો સાથે લાવવા તેમજ પોલીસકર્મીઓને પ્રેમથી ફૂલો આપવા અપીલ કરી છે. શૈક્ષણિક સુધારક સોનમ વાંગચુકે પણ અગાઉ આ પ્રદર્શનને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

આ આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દીધી છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી સહિતના વીઆઈપી મંત્રીઓના નિવાસસ્થાન બહાર સુરક્ષા વધારવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નવી દિલ્હી વિસ્તારમાં 1,000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સેન્ટ્રલ દિલ્હીને 12 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ઝોનની જવાબદારી એક DCP રેન્કના અધિકારીને સોંપવામાં આવી છે જેથી ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now