ભારતના ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. આજે તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને નિવૃત્તીની જાહેરાત કરતાં તેમના ચાહકોમાં નિરાશા ફરી વળી છે. ચેતેશ્વર પૂજારા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સારા બેટ્સમેન હતા.
2013માં ડેબ્યૂ કર્યું
ચેતેશ્વર પૂજારાએ 2005 માં ઘરેલુ ક્રિકેટમાં પોતાની પહેલી મેચ રમી હતી. તેમણે ફેબ્રુઆરી 2025 માં ગુજરાત સામે ફર્સ્ટ ક્લાસ તરીકે પોતાની છેલ્લી મેચ પણ રમી હતી. તેમણે પોતાના ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂના એક વર્ષ પછી લિસ્ટ Aમાં ડેબ્યૂ કર્યું હતું. પૂજારાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 13 વર્ષ ચાલી હતી. પૂજારાએ 2010 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની શરૂઆત કરી હતી. તેમણે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું. તેમનો ODI ડેબ્યૂ 2013 માં બુલાવાયોમાં ઝિમ્બાબ્વે સામે હતો. પૂજારાની ODI કારકિર્દી લાંબો સમય ટકી ન હતી, પરંતુ તે ડેબ્યૂ પછી આગામી 13 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટમાં રહ્યા. તેમણે જૂન 2023 માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેંચ રમી હતી.
પૂજારાની ફર્સ્ટ ક્લાસ કરિયર
ચેતેશ્વર પૂજારાની કારકિર્દી વિશે વાત કરીએ તો, 20 વર્ષમાં, તેણે 278 ફર્સ્ટ ક્લાસ મેચ, 130 લિસ્ટ A અને 71 T20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસમાં, તેમણે 66 સદી સાથે 21301 રન બનાવ્યા છે. તે જ સમયે, તેણે લિસ્ટ A માં 16 સદી સાથે 5759 રન બનાવ્યા છે. જ્યારે T20 માં, તેણે 1 સદી સાથે 1556 રન બનાવ્યા છે.
પુજારાએ 103 ટેસ્ટ રમી
પુજારાએ ભારત માટે 103 ટેસ્ટ અને 5 વનડે રમી છે. આ 108 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમણે 7200 થી વધુ રન બનાવ્યા છે. પુજારાના નામે ટેસ્ટ ક્રિકેટમાં 19 સદી છે, જેમાં તેમનો શ્રેષ્ઠ સ્કોર 206 રન અણનમ છે.





















