Dhurandhara CBFC Report: ચાહકો રણવીર સિંહની ફિલ્મ 'Dhurandhara' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, ફિલ્મ અનેક વિવાદોમાં ફસાઈ ગઈ છે. દરમિયાન, રણવીરની આગામી ફિલ્મ અંગે CBFC રિપોર્ટ રિલીઝ થઈ ગયો છે. તો ચાલો જાણીએ કે ધુરંધરને બોર્ડ તરફથી લીલી ઝંડી મળી છે કે નહીં.
રણવીર સિંહ અભિનીત સ્પાય-થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ પુખ્ત વયના દર્શકો માટે ‘A’ પ્રમાણપત્ર આપી રિલીઝ માટે મંજૂરી આપી દીધી છે. જોકે, બોર્ડે નિર્માતાઓને કેટલાક મહત્વના ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
CBFCએ માંગેલા ફેરફારો
એક દ્રશ્યમાં કોઈ મંત્રીનું નામ બદલવું.
ફિલ્મમાં વપરાયેલા અપશબ્દોને મ્યૂટ કરવા અથવા ટોન ડાઉન કરવા.
હિંસક દ્રશ્યોની તીવ્રતા ઘટાડવી.
કેટલાક દ્રશ્યોમાં ડ્રગ વિરોધી ડિસ્ક્લેમર ઉમેરવું.
આ તમામ ફેરફાર કર્યા બાદ ફિલ્મને લીલી ઝંડી મળી ગઈ છે અને હવે તે 5 ડિસેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
દિલ્હી હાઈકોર્ટે પણ આપી રાહત
શહીદ મેજર મોહિત શર્માના પરિવારે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમનો દાવો હતો કે ફિલ્મ મેજર મોહિત શર્માના જીવન અને બલિદાનથી સીધી પ્રેરિત છે અને પરિવારની પરવાનગી વગર બનાવવામાં આવી છે. કોર્ટે 1 ડિસેમ્બરે આ અરજી ફગાવી દીધી અને ફિલ્મની રિલીઝ પર કોઈ રોક લગાવી નહીં. આમ, તમામ કાનૂની અને સેન્સર અડચણો પાર કરીને આદિત્ય ધર દિગ્દર્શિત ‘ધુરંધર’માં રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ અને સારા અલી ખાન જેવા સ્ટાર્સ સાથે 5 ડિસેમ્બરે મોટા પડદા પર આવવા તૈયાર છે.




















