કેનેડાની સરકારે નાગરિકતા સંબંધિત કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરવા માટે બિલ C-3 ને મંજૂરી આપી છે. સંસદમાં પસાર થયેલા આ બિલથી “નાગરિકતા દ્વારા વંશજ (Citizenship by Descent)” સંબંધિત જૂના નિયમોમાં મોટો બદલાવ આવશે અને ખાસ કરીને ભારતીય મૂળના લાખો લોકો માટે રાહત મળશે.
શું છે નવો ફેરફાર?
બિલ C-3 હેઠળ સરકારે 2009માં લાગુ કરાયેલ First-generation limit દૂર કરવાની જાહેરાત કરી છે. પહેલાંના નિયમ મુજબ,
કેનેડિયન માતાપિતા
જે વિદેશમાં રહેતા હોય
અથવા જેઓના બાળકો વિદેશમાં જન્મેલા હોય
તેમને સ્વચાલિત નાગરિકતા આપવામાં આવતી નહોતી.
આ નિયમને કારણે હજારો પરિવારોને નાગરિકતા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
અદાલતનો મહત્વનો નિર્ણય
ડિસેમ્બર 2023માં ઑન્ટારિયોની કોર્ટે પ્રથમ પેઢીની મર્યાદાને ગેરબંધારણીય જાહેર કરી હતી. તે બાદ સરકારે આ કાયદાને સત્તાવાર રીતે દૂર કરવા માટે બિલ C-3 રજૂ કર્યું, જે હવે મંજૂર થઈ ગયું છે.
કોણને મળશે નાગરિકતા?
નવી જોગવાઈ મુજબ —
કેનેડાના એવા નાગરિકો જેમના બાળકો કેનેડાની બહાર જન્મેલા અથવા ઉછરેલા છે, તેઓ કેનેડા સાથેનો મજબૂત સંબંધ (Substantial Connection) સાબિત કરે તો તેમના બાળકોને નાગરિકતા મળી શકશે.
કેનેડિયન ઇમિગ્રેશન મંત્રી લેના મેટલેજ-ડાયબે જણાવ્યું હતું કે આ સુધારો “લાંબા સમયથી ચાલતા ભેદભાવનો અંત લાવશે અને વિદેશમાં જન્મેલા બાળકોને ન્યાય આપશે.”
કેનેડામાં ભારતીયોની સંખ્યા કેટલી?
વિદેશ મંત્રાલયના 2023ના અહેવાલ મુજબ:
કેનેડામાં કુલ 2.8 થી 2.9 મિલિયન ભારતીય સમુદાય છે
તેમાં 1.9 મિલિયન ભારતીય મૂળના રહેવાસીઓ
અને લગભગ 1 મિલિયન NRI સામેલ છે
કેનેડિયન સરકારે 2021માં દર્શાવ્યા પ્રમાણે, દેશની વસ્તીના 5.1% લોકો ભારતીય મૂળના છે, જે ભારતીય સમુદાયની મજબૂત હાજરીને દર્શાવે છે.





















