પ્રધાનમંત્રી માર્ક કાર્નીના ભારત પ્રવાસ પહેલા કેનેડાએ એક મોટો નિર્ણય લીધો છે. કેનેડા સરકારે 36/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર હુસૈન રાણાની નાગરીકતા રદ્દ કરવાની પ્રોસેસ શરૂ કરી હોવાના અહેવાલ છે.
કોણ છે તહવ્વુર હુસૈન રાણા?
તમને જણાવી દઈએ કે, તહવ્વુર રાણા 64 વર્ષનો છે અને તે કેનેડાનો નાગરીક છે. તે 2008 માં મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ્સમાંથી એક ડેવિડ કોલમેન (દાઉદ ગિલાની, અમેરીકન) નો નજીરનો સહયોગી હતો.
પાકિસ્તાનમાં જન્મેલો રાણા હાલમાં ભારતની કસ્ટડીમાં છે અને 2008 ના મુંબઈ આતંકી હુમલા કેસમાં મુકદ્દમાની રાહ જોઈ રહ્યો છે. આ હુમલો પાકિસ્તાનમાં રહેલા લશ્કર-એ-તૈયબાએ કર્યો હતો, જેમાં 160 વધુ લોકો માર્યા ગયા હતા.
તહવ્વુરને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો
26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ રાણાને એપ્રિલ 2025 માં અમેરિકા દ્વારા ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. નવી દિલ્હી પહોંચ્યા પછી, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) ના નિર્ણયમાં જણાવાયું છે કે રાણાની નાગરિકતા આતંકવાદ માટે નહીં પરંતુ અરજી ફોર્મમાં ખોટું બોલવા બદલ રદ કરવામાં આવી રહી છે. 2000 માં નાગરિકતા માટે અરજી કરતી વખતે, રાણાએ દાવો કર્યો હતો કે તે પાછલા ચાર વર્ષમાં ફક્ત 6 દિવસ માટે દેશની બહાર રહ્યો હતો, ઓટાવા અને ટોરોન્ટોમાં રહ્યો હતો. જો કે, RCMP તપાસમાં જાણવા મળ્યું કે તેણે લગભગ બધો સમય શિકાગોમાં વિતાવ્યો હતો, જ્યાં તેની પાસે ઘણી મિલકતો અને વ્યવસાયો હતા.
વિભાગે તેમના પર "ગંભીર અને ઇરાદાપૂર્વકની છેતરપિંડી" કરવાનો આરોપ મૂક્યો છે. અધિકારીઓ કહે છે કે જો સાચી માહિતી આપવામાં આવી હોત, તો તેમને કેનેડિયન નાગરિકતા આપવામાં આવી ન હોત.
ખોટી માહિતી દ્વારા નાગરિકતા મેળવી હતી
અહેવાલો અનુસાર, 31 મે, 2024 ના રોજ લખેલા પત્રમાં, IRCC એ રાણાને જાણ કરી હતી કે તેમને ખોટી માહિતીના આધારે નાગરિકતા આપવામાં આવી છે, ભલે તેઓ કેનેડિયન પાત્રતાની બધી આવશ્યકતાઓ પૂર્ણ કરતા ન હતા. આ કેસ હવે કેનેડાની ફેડરલ કોર્ટ સમક્ષ છે, જે નક્કી કરશે કે નાગરિકતા ખોટી રીતે મેળવવામાં આવી હતી કે છેતરીને લેવામાં આવી હતી. દરમિયાન, રાણાના વકીલોએ આ નિર્ણયને ભૂલભરેલો અને તેમના અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યો છે.




















