પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે દિલ્હીની AIIMS હૉસ્પિટલમાં નિધન થયું છે. મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેમના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તેમના નિધનના સમાચાર મળતા જ બોલિવૂડ જગતના સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.
પૂર્વ વડાપ્રધાનના નિધન પર બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીએ શોક વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, 'અમારા પૂર્વ વડાપ્રધાનના નિધનથી હું દુ:ખી છું. એક એવા રાજકારણી જેમનું આપણા દેશના વિકાસના દરેક પાસામાં યોગદાન હંમેશા યાદ રહેશે. તેમના પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના.
Saddened by the passing of our former Prime Minister. A statesman whose contributions in every aspect of our nation’s growth will always be remembered. My heartfelt condolences to his family. #RIPDrManmohanSingh 🙏🏽 pic.twitter.com/9wandeOHjJ
— manoj bajpayee (@BajpayeeManoj) December 26, 2024
સની દેઓલે તેની ભૂમિકા પર એક ઈમોશનલ મેસેજ શેર કર્યો હતો. રાષ્ટ્રના વિકાસમાં તેમની બુદ્ધિમત્તા, પ્રમાણિકતા અને યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. મારી હૃદયપૂર્વકની સંવેદના.
I’m deeply saddened by the passing of Dr. Manmohan Singh, a visionary leader who played a pivotal role in shaping India’s economic liberalization. His wisdom, integrity& contributions to the nation’s growth will always be remembered. My heartfelt condolences. #RIPDrManmohanSingh pic.twitter.com/Y5lybTCmTv
— Sunny Deol (@iamsunnydeol) December 26, 2024
ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે આધુનિક ભારતને આકાર આપવામાં મનમોહન સિંહની પરિવર્તનકારી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, 'ડો. મનમોહન સિંહનું નિધન એક યુગનો અંત છે. ભારતના આર્થિક સુધારાના આર્કિટેક્ટ તરીકે, જાહેર સેવા પ્રત્યેના તેમના સમર્પણએ આધુનિક ભારતને આકાર આપ્યો છે. તેમના પરિવારના સભ્યો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.
મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા ભાજપ નેતા અને અભિનેતા રવિ કિશને લખ્યું, 'પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન શ્રી રામજીને વિનંતિ છે કે સદાચારી આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે. 'ઓમ શાંતિ'
पूर्व प्रधानमंत्री श्री मनमोहन सिंह जी के निधन की दुःखद सूचना प्राप्त हुई।
— Ravi Kishan (@ravikishann) December 26, 2024
प्रभु श्री राम जी से प्रार्थना है कि पुण्यात्मा को अपने श्री चरणों में स्थान प्रदान करें।
ॐ शांति 🙏#ManmohanSingh pic.twitter.com/zE3RSzcJ8b
અભિનેત્રી નિમરત કૌરે પોતાની ભાવનાત્મક પોસ્ટમાં લખ્યું છે કે, "એક વિદ્વાન-રાજકારણી, ભારતના આર્થિક સુધારાના શિલ્પકાર, તેમની અજોડ બુદ્ધિમત્તા અને વિનમ્રતાએ આપણા દેશના ફલક પર એક અજોડ છાપ છોડી છે. ડૉ. મનમોહન સિંહજીની આત્માને શાંતિ મળે. સતનામ વાહે ગુરુ"
A scholar-statesman, an architect of India’s economic reforms, his peerless wisdom and humility has left an indelible mark on the fabric of our nation. Rest in grace and glory Dr. Manmohan Singh ji. Satnaam wahe guru 🙏🏼 #RIPManmohanSinghJi pic.twitter.com/sMJUXdRGaY
— Nimrat Kaur (@NimratOfficial) December 26, 2024
પૂર્વ PMને શ્રદ્ધાંજલિ પાઠવતા અભિનેત્રી જેનેલિયા દેશમુખે લખ્યું, 'અમારા પૂર્વ પીએમ શ્રી મનમોહન સિંહજીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમણે દેશ માટે ઈમાનદારી, જ્ઞાન અને નિઃસ્વાર્થ સેવાનો વારસો આપ્યો છે. તેમના આત્માને શાંતિ મળે.'
Deeply saddened to hear about the demise of our former PM, Shri Manmohan Singh ji. A statesman, economist & a true patriot, he leaves behind a legacy of integrity, wisdom & selfless service to the nation. May his soul rest in peace pic.twitter.com/SIjTRL2OWm
— Genelia Deshmukh (@geneliad) December 26, 2024
તો સાથે અભિનેતા રિતેશ દેશમુખે પોતાના પિતા વિલાસરાવ દેશમુખ સાથે મનમોહન સિંહની જૂની તસવીર શેર કરતા તેણે લખ્યું કે, 'આજે આપણે ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાનમાંથી એક ગુમાવ્યા છે. ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપનાર વ્યક્તિ. તેઓ ગૌરવ અને નમ્રતાના પ્રતીક હતા. અમે તેમના વારસાના હંમેશા ઋણી રહીશું. તેમના આત્માને શાંતિ મળે.'
Today we have lost one of India’s finest Prime Ministers. The man who propelled India’s economic growth. He epitomised dignity and humility. We will forever be indebted to his legacy. May his soul rest in eternal glory. Thank you Shri Manmohan Singh ji 🙏🏽 pic.twitter.com/dLWMyk5STc
— Riteish Deshmukh (@Riteishd) December 26, 2024

_35ee82fe-760a-4707-b32e-e16549550257.jpg)


















