વેલકમ ટુ ધ જંગલ: અક્ષય કુમારની આગામી ફિલ્મ માટે ફેન્સમાં અત્યારથીભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષની શરૂઆત અક્ષય માટેખાસ સારી રહી નહોતી. ‘સ્કાયફોર્સ’ રિલીઝ થઈ હતી, પરંતુ તે ફિલ્મ પોતાના બજેટ જેટલો ખર્ચોમેળવી શકી નહોતી. હવે આ વર્ષે ક્રિસમસ પર તેમની એક નવી ફિલ્મ આવવાની છે - વેલકમ ટુ ધ જંગલ. હવે પ્રોડ્યુસરે આ ફિલ્મ અંગે એક નવું અપડેટ આપ્યું છે.
‘વેલકમ 3’નું કામ કેટલું પૂરું થયું?
વેલકમ ટુ ધ જંગલના પ્રોડ્યુસર ફિરોઝ એ. નડિયાદવાલાએ જણાવ્યું કે ફિલ્મનું 70% શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ અહેમદ ખાન દિગ્દર્શિત કરી રહ્યા છે. આ ફિલ્મમાં 30થી વધુ અભિનેતાઓ કામ કરી રહ્યા છે, જેમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, રવીના ટંડન, દિશા પટની, પરેશ રાવલ અને જ્હોની લીવર શામેલ છે. મેકર્સ ઈચ્છે છે કે ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થાય.
ગ્રાન્ડ લેવલ પર બનશે ક્લાઇમૅક્સ
પ્રોડ્યુસરે ક્લાઇમૅક્સ અંગે પણ એક મહત્વની જાણકારી આપી છે. વેલકમ ટુ ધ જંગલનું ક્લાઇમૅક્સ ભવ્ય સ્તરે બનાવવામાં આવી રહ્યું છે. સુનીલ શેટ્ટી અને અક્ષય કુમારના એન્ટ્રી સીન પણ વિશેષ હશે. ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું કે જ્યારે દર્શકો ક્લાઇમૅક્સ જોશે, ત્યારે તેમની આંખો ચમકાઈ જશે.
ફિલ્મ 500 કરોડથી વધુ કમાશે?
ફિલ્મના નિર્માતા અને ટિમને આશા છે કે વેલકમ ટુ ધ જંગલ 500 કરોડથી વધુ કમાણી કરી શકે છે. જો કે, આ જોવા માટે આપણે ફિલ્મની રિલીઝ સુધી રાહ જોવી પડશે.
ફિલ્મમાં કોના પર રહેશે વધુ ધ્યાન?
પ્રોડ્યુસરના મતે, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને અક્ષય કુમારએ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. આ ઉપરાંત, સુનીલ શેટ્ટી અને અર્શદ વારસી વચ્ચે કેટલીક રમૂજી દૃશ્યો પણ જોવા મળશે.
ફિલ્મનું શૂટિંગ 2-3 મહિનામાં પૂરું થવાની આશા છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ ખરેખર ક્રિસમસ પર રિલીઝ થાય છે કે નહીં!



















