Home National-International Asia Largest Airport Noida International Airport In Jewar 6 Runways Capacity Of 22 Crore Passengers Investment Of 29561 Crores

એશિયાનું સૌથી મોટું એરપોર્ટ : જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ભવ્ય પ્રોજેક્ટ! જુઓ રૂ.29,561 કરોડમાં તૈયાર થનારું વિશાળ એરપોર્ટ કેવું હશે?

એશિયાનું સૌથી મોટું એરપોર્ટ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 14, 2026, 04:30 AM IST

ભારતમાં એર ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે, જ્યાં ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (IATA કોડ: DXN, ICAO કોડ: VIND) એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ 1,334 હેક્ટર જમીન પર ફેલાયેલો છે અને તેમાં 6 રનવે, 5 લાખ વાર્ષિક એર ટ્રાફિક મૂવમેન્ટ અને 1 લાખ ચોરસ ફૂટની ટર્મિનલ સ્પેસનો સમાવેશ થાય છે. આ એરપોર્ટ વાર્ષિક 22 કરોડથી વધુ મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવશે, જે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરની ભીડને ઘટાડશે અને NCR તથા ઉત્તર પ્રદેશમાં સસ્તી અને સુગમ હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપશે.

મળતી માહિતી અનુસાર, પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર વિકસાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટમાં રૂ.29,561 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઝ્યુરિખ એરપોર્ટ ઈન્ટરનેશનલ AG અને ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ જેવી કંપનીઓની ભાગીદારી છે. 2026ની શરૂઆતમાં પહેલા ફેઝની કામગીરી શરૂ થશે અને 2050 સુધીમાં તમામ 4 ફેઝ પૂર્ણ થશે. આ એરપોર્ટ માત્ર હવાઈ કનેક્ટિવિટી જ નહીં, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, લોજિસ્ટિક્સ અને રોજગારીમાં પણ ક્રાંતિ લાવશે – અહીં MRO (મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) સુવિધા પણ વિકસાવવામાં આવશે, જેથી વિમાનોના રિપેર માટે વિદેશ મોકલવા નહીં પડે. જો કે, વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ સાઉદી અરેબિયાના દમ્મામમાં આવેલું કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે, જે 776 ચોરસ કિમીમાં ફેલાયેલું છે. આ લેખમાં અમે આ પ્રોજેક્ટની વિગતો, ખાસિયતો અને ફાયદાઓ વિશે વિસ્તારથી જાણીશું.

આની ખાસિયત

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવર વિસ્તારમાં આવેલું છે, જે દિલ્હી-NCRને જોડે છે. આ લોકેશન તેને યમુના એક્સપ્રેસવે અને અન્ય મુખ્ય હાઈવે સાથે કનેક્ટ કરે છે, જેથી મુસાફરોને સરળ પહોંચ મળે. તેની ખાસિયતની વાત કરીએ તો,

  • 6 રનવે અને 22 કરોડ મુસાફરોની ક્ષમતા

  • વિસ્તાર: 1,334 હેક્ટર જમીન પર ફેલાયેલું

  • રનવે: 6 રનવે (ફેઝ-1માં 2, પછી વધુ)

  • ટ્રાફિક: વાર્ષિક 5 લાખ એર ટ્રાફિક મૂવમેન્ટ

  • ટર્મિનલ: 1 લાખ ચોરસ ફૂટની વિશાળ ટર્મિનલ સ્પેસ

  • મુસાફરો: વાર્ષિક 22 કરોડથી વધુ મુસાફરો હેન્ડલ કરવાની ક્ષમતા (ફેઝ-1માં 1.2 કરોડ)

PPP મોડલ પર ઝ્યુરિખ અને ટાટા પ્રોજેક્ટ્સની ભાગીદારી

આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (NIAL) મુખ્ય છે. ઝ્યુરિખ એરપોર્ટ ઈન્ટરનેશનલ AG (ઓપરેટર) અને ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ (કન્સ્ટ્રક્શન પાર્ટનર) જેવી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કંપનીઓની ભાગીદારી છે.

2026માં પહેલો ફેઝ, 2050 સુધીમાં પૂર્ણ

પ્રોજેક્ટને 4 ફેઝમાં વહેંચવામાં આવ્યો છે. 2026ની શરૂઆતમાં ફેઝ-1 શરૂ થશે, જેમાં 2 રનવે અને 1.2 કરોડ મુસાફરોની ક્ષમતા હશે. બાકીના ફેઝ 2050 સુધીમાં પૂર્ણ થશે, જેમાં તમામ 6 રનવે અને સંપૂર્ણ ક્ષમતા કાર્યરત થશે.

રૂ.29,561 કરોડનું વિશાળ રોકાણ

આ પ્રોજેક્ટમાં કુલ રૂ.29,561 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ટર્મિનલ, રનવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. આ રોકાણ PPP મોડલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આપણને શું ફાયદો?

  • એર કનેક્ટિવિટી: દિલ્હી IGI એરપોર્ટ પરની ભીડ ઘટશે, NCR અને યુપીમાં સસ્તી અને વધુ વિમાનો મળશે.

  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર: રિયલ એસ્ટેટ, લોજિસ્ટિક્સ અને કોમર્સને બુસ્ટ મળશે, રોજગારીની તકો વધશે.

  • MRO સુવિધા: થોડા વર્ષોમાં વિમાનોનું મેન્ટેનન્સ અને રિપેર અહીં જ થશે, વિદેશ મોકલવા નહીં પડે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

યુપી-બિહારમાં તબાહી મચાવશે વરસાદ-વાવાઝોડું!: સિક્કિમમાં અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી, હવામાન વિભાગની મોટી ચેતવણી

યુપી-બિહારમાં તબાહી મચાવશે વરસાદ-વાવાઝોડું!

દુબઈ એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો: ઈંધણ ટાંકીમાં ભયાનક આગ, તમામ ફ્લાઇટ્સ રદ

દુબઈ એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો

ઓડિશાની SCB મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ: 10ના મોત, અનેક ઘાયલ, CM મોહન માઝી પહોંચ્યા ઘટનાસ્થળે

ઓડિશાની SCB મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ

આજે 16 માર્ચ: ભારતમાં પ્રથમવાર અપાઈ હતી પોલીયોની રસી, જાણો આજની મુખ્ય ઘટનાઓ

આજે 16 માર્ચ

શું કિમ જોંગ ઉન નાસ્તિક છે?: જાણો ઉત્તર કોરિયામાં કયા ધર્મનું અસ્તિત્વ છે અને લોકોની આસ્થા પાછળનું રહસ્ય

શું કિમ જોંગ ઉન નાસ્તિક છે?

4 રાજ્યો, 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત: ઇલેક્શન કમિશને જાહેર કરી તારીખો

4 રાજ્યો, 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત

Oscars 2026: આ વખતે શું હશે ખાસ? જાણો હોસ્ટ અને નવી કેટેગરી વિશે

Oscars 2026

Iran-Israel-War: શું ખરેખર મુજતબા ખામેનીનો પગ કાપવો પડ્યો અને તે કોમામાં છે? જાણો ભારતના ફસાયેલાં LPG જહાજોનું શું થયું

Iran-Israel-War

ECI Assembly Election Schedule 2026: બંગાળ સહિત આ 5 રાજ્યોમાં ક્યારે થશે વિધાનસભા ચૂંટણી? આજે ચૂંટણી પંચ કરી શકે છે તારીખોની જાહેરાત

ECI Assembly Election Schedule 2026

જમ્મુ-કશ્મીરમાં આર્મીને મોટી સફળતા: ઉરીમાં ઘૂસણખોરી કરતો એક પાકિસ્તાની આતંકવાદી ઠાર

જમ્મુ-કશ્મીરમાં આર્મીને મોટી સફળતા

LPG-PNG અંગે નવા નિયમો જાહેર: આ ઘરોમાં સિલિન્ડર રાખવું ગેરકાયદેસર, જાણો શું છે મોટા ફેરફાર

LPG-PNG અંગે નવા નિયમો જાહેર

ભારતમાં વાવાઝોડા-વરસાદનું ભારે એલર્ટ: UPના 35 અને રાજસ્થાનના 10 જિલ્લાઓ પર મોટી અસર, MPમાં હીટવેવની ચેતવણી

ભારતમાં વાવાઝોડા-વરસાદનું ભારે એલર્ટ

"હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત અમેરિકા અને ઇઝરાયલ માટે જ બંધ": ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનું મોટું નિવેદન

"હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત અમેરિકા અને ઇઝરાયલ માટે જ બંધ"

આજે 15 માર્ચ: વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, જાણો આજના દિવસની મહત્વની ઘટનાઓ

આજે 15 માર્ચ

શિક્ષણ પ્રત્યે અનોખી સમર્પણ ભાવના: આ દેશમાં વિદ્યાર્થીઓની પરીક્ષા માટે થંભાવી દેવાય છે વિમાનોના પૈડાં, જાણો શું છે કારણ

શિક્ષણ પ્રત્યે અનોખી સમર્પણ ભાવના

‘2027ની પંજાબ ચૂંટણીમાં BJP એકલે હાથે લડશે, હવે અમે નાના ભાઈ નથી…’: SAD સાથે સમાધાનની અટકળો પર અમિત શાહનું નિવેદન

‘2027ની પંજાબ ચૂંટણીમાં BJP એકલે હાથે લડશે, હવે અમે નાના ભાઈ નથી…’

ગાડીમાં ઈંધણ ભરાવતી વખતે રાખો આ સાવધાની, નહીં તો ખરાબ થશે એન્જિન!: માત્ર શૂન્ય જોવું પૂરતું નથી, આ બાબત 99% લોકો અવગણે છે

ગાડીમાં ઈંધણ ભરાવતી વખતે રાખો આ સાવધાની, નહીં તો ખરાબ થશે એન્જિન!

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ: LPG પુરવઠા અંગે પેટ્રોલિયમ મંત્રાલયે આપી મહત્વની માહિતી

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ

CM મમતા પર PM મોદીના આકરા પ્રહાર: ‘બંગાળમાં નિર્મમ સરકારનો અંત આવશે, વીણી-વીણીને લેવામાં આવશે હિસાબ’

CM મમતા પર PM મોદીના આકરા પ્રહાર

UP ચૂંટણી પહેલા કોંગ્રેસનો કેમ ઉલટો પડ્યો દાવ?: કાંશીરામ જયંતીમાં સામેલ થવા પર માયાવતીએ રાહુલ ગાંધીને ઘેર્યા!

UP ચૂંટણી પહેલા કોંગ્રેસનો કેમ ઉલટો પડ્યો દાવ?