Home National Amit Shah Reviews Amarnath Yatra Security Preparations 2026

અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને અમિત શાહની હાઈ લેવલ મીટિંગ : આર્મી ચીફ અને NSA અજીત ડોભાલ પણ રહ્યા હાજર

Amarnath Yatra 2026
Published by: Viral Patel
Last Updated: Jun 12, 2026, 02:56 PM IST

Amarnath Yatra 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ૩ જુલાઈથી ૨૮ ઓગસ્ટ સુધી ચાલનારી પવિત્ર અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શુક્રવારે એક હાઈ લેવલ સિક્યોરિટી રિવ્યુ મીટિંગ (ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક) કરી હતી. આ બેઠકમાં એનએસએ (NSA) અજીત ડોભાલ, જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હા, આર્મી ચીફ, કેન્દ્રીય ગૃહ સચિવ, આઈબી (IB) ચીફ, જમ્મુ-કાશ્મીરના ડીજીપી તેમજ સીઆરપીએફ, બીએસએફ, સીએઆઈએસએફ અને સીએપીએફના તમામ ડીજી સહિત આર્મી અને જમ્મુ-કાશ્મીરના અન્ય ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.

'વિચારોનો ગંદવેડો' ફેલાવનારનો પડશે વારો : કોમેડિયન પ્રણિત મોરે સહિત હિમાંશુ અને ડૉ. સેજલ પવાર થશે જેલભેગા? NCWએ શોના વિવાદિત વીડિયો મામલે DGP પાસે મંગાયો રિપોર્ટ

ગૃહ મંત્રી અમિત શાહે આપ્યા નિર્દેશો

બેઠકમાં ગૃહ મંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે તમામ સુરક્ષા એજન્સીઓના સંકલિત પ્રયાસોથી યાત્રા માટે એક અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવે. દેખરેખ રાખવા માટે ડ્રોન, સીસીટીવી કેમેરા અને અન્ય સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવે. આ સાથે જ યાત્રાના રૂટ પર જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ, બીએસએફ અને આઈટીબીપી સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા 'મલ્ટી લેયર સિક્યોરિટી ગ્રીડ' બનાવવામાં આવે, જેથી યાત્રા દરમિયાન કોઈ પણ નાપાક ઈરાદા ધરાવતી વ્યક્તિ ઘૂસણખોરી ન કરી શકે.

શિબિરોની અંદર અને બહાર CAPFની હાજરી રહેશે

યાત્રા દરમિયાન શિબિરો (કેમ્પ)માં રોકાતા ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગૃહ મંત્રીએ સીએપીએફ (CAPF) અને જમ્મુ-કાશ્મીર પોલીસને નિર્દેશ આપ્યા છે કે તેઓ સતત શિબિરોની અંદર અને બહાર પોતાની હાજરી સુનિશ્ચિત કરે. શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન, તેમના રોકાણ, આરોગ્ય સેવાઓ અને આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) સહિતની તમામ જરૂરી સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવા અને યાત્રીઓની સહાયતા અંગેની માહિતી શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડની વેબસાઈટ [https://jksasb.nic.in/](https://jksasb.nic.in/) પરથી મેળવી શકાય છે.

ઘર કે દુકાન નહીં..., આખો મોબાઇલ ટાવર ચોરાઇ ગયો! : 132 ફૂટનો ટેલિકોમ ટાવર, કેબલ અને જનરેટર બધું જ લઈને ફરાર

હવામાનની સ્થિતિ અનુસાર શ્રદ્ધાળુઓ આગળ વધશે

ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે હવામાનની સ્થિતિ અને આગાહીને અનુરૂપ જ શ્રદ્ધાળુઓના જથ્થાને આગળ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે. યાત્રા સાથે જોડાયેલા સ્થાનિક લોકો અને પશુઓના રજીસ્ટ્રેશનની વ્યવસ્થા સાથે જ તેમના માટે QR કોડ યુક્ત ઓળખપત્રો (આઈડી કાર્ડ) જાહેર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now