26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભ 2025 દરમિયાન સંગમમાં સ્નાન કરવા માટે કરોડો લોકો આવી રહ્યા છે. અને તેમાં અનેક લોકો એવા છે જે ખોવાઈ જાય છે. જોકે શોધવા એટલા પણ સરળ નથી. ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભ 2025માં આ મુશ્કેલ કાર્યને સરળ બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદ લીધી છે. યુપી સરકારે Kumbh Sah'AI'yak નામનો AI ચેટબોટ લોન્ચ કર્યો છે. ચેટબોટ યુઝર્સને મહાકુંભ સંબંધિત રીઅલ-ટાઇમ અપડેટ્સ અને માહિતી જ નથી આપી રહ્યું, પરંતુ તેની મદદથી તેઓ તેમના ખોવાયેલા લોકો સુધી પણ પહોંચી શકે છે. વ્યક્તિગત સહાય ઉપરાંત, નેવિગેશન સપોર્ટ પણ આપે છે. તેના દ્વારા ખોવાયેલા લોકોને શોધવાનું કામ સરળ બની ગયું છે. આવી રીતે શોધાય છે ખોવાયેલા લોકોને સમગ્ર મેળા પરિસરમાં અને પ્રયાગરાજમાં લગભગ 2700 AI-પાવર્ડ કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમની મદદથી ખોવાયેલા લોકોના ચહેરા ઓળખી શકાય છે. AI-ચેટબોટ સાથે મળીને, એક મજબૂત નેટવર્ક ઉભુ કર્યું છે. જે ખોવાયેલી વ્યક્તિને તેના પ્રિયજનો સાથે ફરીથી મળાવવાનું કામ કરે છે. આ પ્રક્રિયા ત્રણ તબક્કામાં થાય છે.
ખોવાયેલી વ્યક્તિની જાણ કરવી:
ખોવાયેલી વ્યક્તિની જાણ Sah'AI'yak ચેટબોટ અથવા મેલા હેલ્પલાઇન 1920 પર કૉલ કરીને કરી શકાય છે. એ જ રીતે, જો કોઈ ખોવાઈ જાય, તો નજીકના પોલીસકર્મીની મદદથી તેને ખોવાયેલી જગ્યાએ લઈ જવામાં આવે છે.
ડિજીટલ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર અને AI સર્વેલન્સઃ
ડીજિટલ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર અને 12 સેન્ટરો પર હાજર કર્મચારીઓ તેમના સોશિયલ મીડિયા દ્વારા ખોવાયેલા લોકોના ફોટા ચકાસી શકે છે અથવા પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવેલા ફોટાને સ્કેન કરી શકે છે. આ પછી, AI સંચાલિત કેમેરાની મદદથી સર્વેલન્સ અને ટ્રેકિંગ કરી શકાય છે.




















