રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, પરંતુ પાકિસ્તાનમાં તેના કરાચીના લ્યારી વિસ્તારના ચિત્રણથી વિવાદ ઊભો થયો છે. આના જવાબમાં સિંધ સરકારે 'મેરા લ્યારી' નામની ફિલ્મની જાહેરાત કરી છે, જે લ્યારીની સાચી છબી બતાવવાનો દાવો કરે છે.
'ધુરંધર'માં લ્યારીને કેમ બતાવવામાં આવ્યું હિંસક?
આદિત્ય ધર દિગ્દર્શિત 'ધુરંધર'ની વાર્તા 1999થી 2009 વચ્ચે કરાચીના લ્યારીમાં સેટ છે. ફિલ્મમાં લ્યારીને ગેંગવોર, ડ્રગ તસ્કરી, હથિયારો અને આતંકવાદના અડ્ડા તરીકે દર્શાવવામાં આવ્યું છે. રણવીર સિંહનો કિરદાર પાકિસ્તાનમાં આવીને લ્યારી પહોંચે છે, જ્યાં અક્ષય ખન્ના રહમાન ડકૈતનો રોલ કરે છે.
પાકિસ્તાનની સિંધ સરકારે શા માટે વાંધો લીધો?
સિંધના માહિતી મંત્રી શરજીલ ઇનામ મેમને 'ધુરંધર'ને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નેગેટિવ પ્રોપેગન્ડા ગણાવ્યું. તેમના મતે લ્યારી હિંસા નહીં, પરંતુ સંસ્કૃતિ, શાંતિ, પ્રતિભા અને સહનશીલતાનું પ્રતીક છે. આના જવાબમાં 'મેરા લ્યારી' ફિલ્મની જાહેરાત કરવામાં આવી.
'મેરા લ્યારી' શું બતાવશે અને ક્યારે રિલીઝ થશે?
'મેરા લ્યારી'માં લ્યારીની સાચી વાર્તા બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે – શાંતિ, સમૃદ્ધિ અને ગૌરવની. આ ફિલ્મ જાન્યુઆરી 2026માં રિલીઝ થશે. તેમાં દાનાનીર મોબીન, આયેશા ઓમર, સમિયા મુમતાઝ જેવા કલાકારો છે.
લ્યારીની વાસ્તવિક છબી શું છે?
લ્યારી કરાચીનો ઘની વસ્તીવાળો વિસ્તાર છે, જે સંસ્કૃતિ, સ્પોર્ટ્સ અને સમુદાયની મજબૂતી માટે જાણીતો છે. તેમ છતાં, અતીતમાં ગેંગવોરના કારણે તેની નેગેટિવ ઇમેજ બની હતી.
'ધુરંધર પાર્ટ 2ની તૈયારી
જ્યારે 'મેરા લ્યારી' જાન્યુઆરી 2026માં આવશે, ત્યારે 'ધુરંધર'નો બીજો ભાગ 19 માર્ચ 2026માં રિલીઝ થશે. આમ, બંને ફિલ્મો વચ્ચે રસાકસી જોવા મળશે. આ વિવાદે બંને દેશો વચ્ચે ફિલ્મી યુદ્ધને જન્મ આપ્યો છે!




















